'મારા પિતાને માનસિક સમસ્યા છે', ધોની પર નિવેદનબાજી કરનાર યોગરાજ વિશે યુવરાજનો વીડિયો વાયરલ
Yuvraj Singh: યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહે તાજેતરમાં મહેન્દ્ર સિંહ ધોની અને કપિલ દેવને લઈને કેટલાક નિવેદન આપ્યા છે. તેમણે યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવા માટે ધોનીને જવાબદાર ગણાવ્યો હતો અને તે ઘણી વખત આ વાત કહી ચૂક્યા છે. યોગરાજે અનેક મંચ પરથી આ વાત કહી છે.
આ દરમિયાન ધોનીના ચાહકોએ યુવરાજની એક ક્લિપ રિલીઝ કરી છે જેમાં યુવી કહી રહ્યો છે કે તેના પિતાને માનસિક બીમારી છે. યુવરાજે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં આ વાત કહી છે. ચાહકોએ હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે. યુવીએ રણવીર અલાહાબાદિયાને એક ઈન્ટરવ્યુ આપ્યો છે.

યુવરાજે કહ્યું કે મને લાગે છે કે મારા પિતાને માનસિક સમસ્યા છે અને તેઓ તેને સ્વીકારવા માંગતા નથી. મને લાગે છે કે તેમણે કંઈક કરવાની જરૂર છે. તે સ્વીકારતા નથી. જેમ કે હું કબૂલ કરું છું કે મને ઉપચારની જરૂર છે પણ તે સ્વીકારતા નથી.
યોગરાજે ઝી સ્વિચ પોડકાસ્ટ પર એમએસ ધોની પ્રત્યેની તેમની લાગણીઓને છુપાવી ન હતી. તેમણે કહ્યું, "હું એમએસ ધોનીને માફ નહીં કરુ. તે વ્યક્તિએ પોતાને અરીસામાં જોવી જોઈએ. હું સંમત છું કે તે એક મહાન ક્રિકેટર છે, પરંતુ તેણે મારા પુત્ર સાથે જે કર્યું તે હવે પ્રકાશમાં આવી રહ્યું છે, તેને ક્યારેય માફ કરી શકાય નહીં. યોગરાજે એમ પણ કહ્યું કે તે વ્યક્તિએ મારા પુત્રનું જીવન બરબાદ કરી દીધું છે જે હજુ 4-5 વર્ષ રમી શક્યો હોત.
યુવરાજે ધોનીની કપ્તાનીમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, ખાસ કરીને 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ દરમિયાન. આ ટુર્નામેન્ટો દરમિયાન ભારતને ગૌરવ અપાવવામાં તેના ઓલરાઉન્ડ પ્રદર્શને મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય ક્રિકેટમાં યુવરાજ અને ધોનીના યોગદાન તેમજ યોગરાજના વિવાદાસ્પદ નિવેદનોને ધ્યાનમાં રાખીને ક્રિકેટ જગત આ ખુલાસાઓ પર પ્રતિક્રિયા આપી રહ્યું છે.
My Father has mental issues : Yuvraj #MSDhoni pic.twitter.com/KpSSd4vDzA
— Chakri Dhoni (@ChakriDhonii) September 2, 2024
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
