Operation Sindoor : ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઇટર જેટ તોડી પાડ્યાનો વાયુસેના પ્રમુખનો દાવો
Operation Sindoor : ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની સફળતા અંગે એક મોટો દાવો કરવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો કે, આ ઓપરેશન દરમિયાન ભારતે પાકિસ્તાનના ઓછામાં ઓછા પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યા હતા.
IAF ચીફનું આ નિવેદન પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ઓપરેશન સિંદૂર અંગે કરવામાં આવેલા દાવાઓને નકારી કાઢ્યાના થોડા જ દિવસો બાદ આવ્યું છે. એર ચીફ માર્શલ એપી સિંહે પાકિસ્તાની વડા પ્રધાન પર કટાક્ષ કરતા કહ્યું કે, તેમને મનગમતી મનોરંજક વાર્તાઓ કહેવા દો.

93મા એર ફોર્સ ડે સમારોહ દરમિયાન IAF ચીફે જણાવ્યું કે ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના અનેક એરફિલ્ડ્સ (Airfields) અને લશ્કરી સ્થાનોને નિશાન બનાવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ હુમલાથી પાકિસ્તાનના રડાર, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, હેંગર અને રનવેને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
એપી સિંહે આ હુમલાની વિગતો આપતા કહ્યું કે, અમારી પાસે C-130 ક્લાસના વિમાનના નિશાન છે અને ઓછામાં ઓછા 4 થી 5 ફાઇટર જેટ્સ (Fighter Jets) માં મોટા ભાગના F-16 હતા.
તેમણે ઉમેર્યું કે, અમારી પાસે 300 કિલોમીટરથી વધુની રેન્જમાં થયેલી લોંગ-રેન્જ સ્ટ્રાઈકના સ્પષ્ટ પુરાવા છે. અમારા સિસ્ટમ્સ અનુસાર, આ સ્ટ્રાઈકમાં AEW&C અથવા SIGINT વિમાનની સાથે F-16 અને JF-17 ક્લાસના પાંચ હાઈ-ટેક ફાઇટર જેટ્સનો નાશ થયો હતો.
પાકિસ્તાન દ્વારા 15 ભારતીય જેટ્સ તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાને એર ચીફે મનોહાર કહાનીઓ ગણાવીને મજાક ઉડાવી. તેમણે કહ્યું કે, જો તેમને લાગે કે તેમણે અમારા 15 જેટ્સ તોડી પાડ્યા છે તો હું આશા રાખું કે તેઓ તેના પર વિશ્વાસ કરે અને આગામી લડાઈમાં અમારી ઇન્વેન્ટરીમાં 15 જેટ્સ ઓછા ગણે.
આ પહેલીવાર નથી જ્યારે વાયુસેનાએ પાંચ પાકિસ્તાની જેટ્સ તોડી પાડવાનો દાવો કર્યો હોય. અગાઉ ઓગસ્ટમાં પણ એ.પી. સિંહે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં S-400 એર ડિફેન્સ સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં, પાકિસ્તાની PM શેહબાઝ શરીફે UN જનરલ એસેમ્બલીના પોતાના સંબોધનમાં ખોટો દાવો કર્યો હતો કે પાકિસ્તાની દળોએ સાત ભારતીય જેટ્સને તોડી પાડ્યા હતા.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
