નારાજ CSK મેનેજમેન્ટ IPL 2021 પહેલાં લેશે આકરા ફેસલા, કેટલાય ખેલાડીઓને બહાર રસ્તો દેખાડશે

નારાજ CSK મેનેજમેન્ટ IPL 2021 પહેલાં લેશે આકરા ફેસલા, કેટલાય ખેલાડીઓને બહાર રસ્તો દેખાડશે

નવી દિલ્હીઃ ચેન્નઈ સુપર કિંગ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં સૌથી નિરંતર ફ્રેન્ચાઈઝી થઈ શકે છે પરંતુ આ સીઝનમાં નિશ્ચિત રૂપે ટીમનો દમ નિકળતો જણાયો. મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ખુદ આઈપીએલ 2020માં ટીમની વિફળતાઓને સ્વીકારી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ટૉપ બૉસ પરિણામોથી બહુ નિરાશ અને નાખુશ છે અને કેટલાક કઠીન ફેસલા લેવા માંગે છે.

આ ચેન્નઈ માટે નિરાશાની સીઝન રહી છે જે 10 મેચમાં માત્ર 3 જીત સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જ્યારે પ્લેઑફ માટે ક્વૉલીફાઈ કરવાનું ગણિતિક મોકો રહે છે, પરંતુ વધુ એક હાર ટીમને સંપૂર્ણપણે ટૂર્નામેન્ટથી બહાર કરી દેશે. ટીમ માટે સૌતી મોટી સમસ્યાઓમાંથી એક તેમનો ધીમો ખેલ છે. જ્યારે શેન વૉટ્સન, ફાફ ડૂ પ્લેસિસ, એમએસ ધોની, અંબાતી રાયડૂ ટીમમાં બનેલા છે, પરંતુ જ્યાં સુધી સારી શરૂઆત નથી થઈ ત્યાં સુધી ખેલ ખતમ કરવામાં સફળ નથી થયા.

ધોનીની કમાન પર પણ સવાલ

ધોનીની કમાન પર પણ સવાલ

એમએસ ધોનીની કપ્તાની પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, ખાસ કરીને કેદાર જાધવ જેવા ખેલાડીઓના સમર્થનમાં. ઈનસાઈડસ્પોર્ટના એક રિપોર્ટ મુજબ જાધવ સીએસકેના જૂના ખેલાડીઓમાંથી એક છે, પરંતુ તેમને આગલા સત્રથી પહેલા દરવાજો દેખાડવાની સંભાવના છે, ખાસ કરીને જો હરાજી થાય તો.

"જેમ કે ફ્લેમિંગે કહ્યું, વારંવાર ઘણી ખામીઓ સામે આવી છે. કેટલાક અઘરા નિર્ણયો લેવામાં આવશે. એકમાત્ર મુદ્દો એ છે કે અત્યારે અને આગલા સંસ્કરણ વચ્ચે બહુ ઓછો સમય છે," રિપોર્ટમાં એક સૂત્રએ કહ્યું.

આ ખેલાડીઓની મુશ્કેલીઓ વધી શકે

આ ખેલાડીઓની મુશ્કેલીઓ વધી શકે

2018 અને 2019ની સીઝન દરમ્યાન સુપર કિંગ્સે જણાવી દીધું કે તેમને ડૈડીઝ આર્મીના ટેગથી કોઈ ફરક નથી પડતો, જેમાં 30 અથવા તેનાથી વધુ ઉંમરના એકેય ખેલાડીઓ સાથે મેચ જીતવા વાળું પ્રદર્શન થાય છે. જો કે આ સીઝન તેમના માટે ગણી અલગ રહી છે.

ટીમ મેનેજમેન્ટ કથિત રીતે ટીમમાં વધુ યુવા ખેલાડીઓને હાંસલ કરવા અને કેટલાય અનુભવી ખેલાડીઓને બહાર કરવાનું વિચારી રહી છે. શેન વૉટ્સન, પીયૂષ ચાવલા, કેદાર જાધવ, ઈમરાન તાહિર જેવા ખેલાડીઓને પણ બહારનો રસ્તો દેખાડવામાં આવી શકે છે જ્યારે સુરેશ રૈના અને હરભજન સિંહ પોતાના ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટથી બહાર છે.

એમએસ ધોની માટે આગળ શું?

એમએસ ધોની માટે આગળ શું?

39 વર્ષીય કેલાડી પહેલે જ પોતાનું આંતરરાષ્ટ્રીય કરિયર છોડી ચૂક્યા છે અને આ સીઝનમાં બેટથી તેમનું ફોર્મ ટી-20 લીગમાં તેમની નિરંતરતા પર કેટલાય સવાલો ઉઠાવી રહી છે. જો કે ધોનીએ હજી સુધી સંકેત નથી આપ્યા કે તેઓ થોડા વધુ વર્ષો સુધી આઈપીએલ રમવાનું ચાલુ રાખવા માંગે છે કે નહિ.

કહેવાઈ રહ્યું છે કે જો તેઓ આવું જ પ્રદર્શન કરતા રહ્યા તો આઈપીએલ 2021ની આઈપીએલ સીઝન સીએસકેમાં ધોની માટે પણ છેલ્લી હોય શકે છે. પાછલા એક વર્ષથી ક્રિકેટ એક્શનની કમી ધોનીના સંઘર્ષની પાછળના કારણોમાંથી એકના રૂપમાં સમજવામાં આવે છે. તેમને વધુ એક સીઝનમાં લેવામાં આવશે કેમ કે આ 6 મહિનામાં થવા જઈ રહી છે. જે બાદ બધું જ ધોનીની ઈચ્છા અને ફોર્મ પર આધાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X