IND vs SL: સંજુ સૈમસન ટી2 સીરીજમાથી બહાર, નવા ખેલાડી તેની જગ્યા ટીમમાં સમાવેશ
ભારતના બેટ્સમેન ઇજાગ્રસ્ત થતા સજુ સૈમસનને આરામ આપવામાં આવ્યો છે. ભારતની પૂનામાં રમાનાર શ્રીલંકા સામેની ટી20 મચે હેલા જ આ માહિતી બીસીસીઆઇ દ્વારા આપવામાં આવી છે.
IND vs SL, Sanju Samson: શ્રીલકા સામેની ત્રણ મેચોની ટી20 મેચની સીરીજમાં બાકીની બે મેચોમાં સંજુ સૈમસનને બહાર કરી દેવામાં આવ્યો છે. સૈમસન ઇજાગ્રસ્ત થવાનો કારણે તેને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે. બીસીસીઆઇએ સૈમસનના બહાર થવાની પૂષ્ટી પણ કરી છે. બોર્ડે પોતાની વેબસાઇટ પર આ અંગે જાણકારી આપી છે. શ્રીંલંકા વિરુદ્ધ પહેલા ટી 20 મેચમાં ફીલ્ડીંગ દરમિયાન સૈમસનને ઇજા થઇ હતી. ત્યાર બાદ તે ટીમની સાથે બીજી મેચ માટે પુના નથી ગયો. જિતેશ શર્માને તેની જગ્યાએ ટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

બીસીસીઆઇએ કહ્યુ છે કે, ટીમ ઇન્ડીયાના વિકેટકિપર બેટ્સમેન સજુ સૈમસન શ્રીલંકા વિરુદ્ધ 3 મેચની ટી20 સીરીજની બાકીની મેચમાથી બહાર કરી દેવામાં આવ્યો છે. મુંબઇ વનખેડે સ્ટેડિયમમાં પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બ્રાઉન્ડ્રી પાસે બોલને રોકવાના પ્રયાસ કરતા ઘુટણીમાં ઇજા થઇ હતી. બીસીસીઆઇના મેડિકલ ટીમ આજ બપોરે તેમના સ્કેન અે વિશેષજ્ઞોની વધુ તપાસ માટે મુંબઇ લઇ જવામાં આવ્યો છે. તેમને આરામ અને રિહેબિલેટેશન ની સલાહ આપવામાં આવી છે.
ભારતીય બોર્ડે કહ્યુ છે કે, ઓલ ઇન્ડિયા સિનિયર પસંદગી સમિતિએ સંજુ સેમસનની જગ્યાએ જિતેશ શર્માને ટીમમાં સમાવેશ કર્યો છે. શ્રીલંકા સામે બીજી ટી20 મેચ પૂણેમાં 5 જાન્યુઆરીએ રમાશે. ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, મુંબઇમા રમાયેલી પહેલી મેચ ટીમ ઇન્ડિયાએ બે રનથી જીતી લીધી હતી. સૈમસન બાઇન્ડ્રી પર સ્લાઇડ કરતા ઘુટણીએ ઇજાગ્રસ્ત થયો હતો.
ભારતની ટી20 ટીમ
હાર્દીક પાંડ્યા (કેપ્ટન), ઇશાન કિશન, (વિકેટકીપર), રૂતુરાજ માગયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, (ઉપકપ્તાન) દીપક હૂડ્ડા, રાહુલ ત્રિપાઠી, જિતેશ શર્મા, (વિકેટકીપર), વોશિગ્ટન સૂંદર, યૂજવેન્દ્ર ચહસ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષદ પટેલ, અમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમાર,
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
