ટેસ્ટ ડેબ્યુ બાદ સરફરાઝ ખાનનું મોટુ નિવેદન, પિતાના સપના વિશે ખુલ્લીને વાત કરી
માત્ર છ વર્ષની ઉમરે ક્રિકેટ રમવાની શરૂઆત અને હવે ભારત માટે ડેબ્યુ કર્યા બાદ સરફરાઝ ખાન ભાવુક જોવા મળ્યો. ત્રીજી ટેસ્ટમાં અડધી સદી બાદ તેને ખુલ્લીને વાત કરી.
સરફરાઝ ખાનનું સપનું તેના પિતા સામે આંતરરાષ્ટ્રીય ખેલાડી બનવાનું હતું. પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે દ્વારા ટેસ્ટ કેપ સોંપવામાં આવી તે સાથે જ તેનું આ સપનું પુરૂ થયુ. આ દરમિયાન તેના પિતા નૌશાદ પોતાના આંસુ રોકી ન શક્યા.

સરફરાઝે પણ અપેક્ષા મુજબ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે અડધી સદીથી તેની યોગ્યતા સાબિત કરી દીધી. આ એક મોટી ઇનિંગ બની શકી હોત, જો રવિન્દ્ર જાડેજાના ખોટા કોલને કારણે રનઆઉટ થયો ન હોત. જો કે તેને તેનો કોઈ અફસોસ નથી.
સરફરાઝે કહ્યું કે, પહેલીવાર મેદાન પર આવી રહ્યો છું અને પિતાની સામે કેપ મેળવી રહ્યો છું. તેણે મારી ક્રિકેટ શરૂ કરી ત્યારે હું છ વર્ષનો હતો. તેની સામે ભારતીય ટીમ માટે રમવાનું મારું સપનું હતું. સરફરાઝે ત્રીજી ટેસ્ટમાં 62 રન બનાવીને શાનદાર પ્રદર્શન કર્યું.
સરફરાઝે કહ્યું કે, ભારત માટે રમવાનું મારા પિતાનું સપનું હતું, પરંતુ દુર્ભાગ્યવશ કેટલાક કારણોસર તે થઈ શક્યું નહીં, પછી ઘર તરફથી વધુ સમર્થન મળ્યું નહીં. તેણે મારા પર ખૂબ મહેનત કરી અને હવે તે મારા ભાઈ સાથે પણ આવું જ કરી રહ્યા છે.
આ મારા જીવનની સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ હતી. તેણે કહ્યું કે, રન અને પ્રદર્શન મારા મગજમાં નહોતા એટલા માટે હું મારા પિતાની સામે ભારત માટે રમીને ખુશ હતો.
સરફરાઝે વધુમાં કહ્યું કે, મેં લંચ દરમિયાન રવિન્દ્ર જાડેજા સાથે વાત કરી હતી અને રમતી વખતે મારી સાથે વાત કરે. મને રમતી વખતે વાત કરવી ગમે છે. આ મારી પહેલી વાર હતી. મેં તેને કહ્યું કે જ્યારે હું બેટિંગ કરવા ગયો ત્યારે હું રમી રહ્યો હોય ત્યારે મારી સાથે વાત કરવાનું ચાલુ રાખે. જ્યારે હું બેટિંગ કરતો હતો ત્યારે તે વાત કરતા હતા અને મને ઘણો સપોર્ટ કરતા હતા.












Click it and Unblock the Notifications
