T20 World Cup 2024 : ખુલ્લી બસમા ફેનનું અભિવાદન કરવા રસ્તા પર ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો ક્યાં અને ક્યારે?

T20 વર્લ્ડ કપ 2024 : બાર્બાડોસમાં ભારતીય ટીમે t20 વર્લ્ડ કપ જીતીને 17 વર્ષના ઈંતઝારનો અંત કર્યો છે. હવે ભારતમાં ભારતીય ટીમના વિજય સરઘસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

અહેવાલો અનુસાર, બાર્બાડોસમાં તોફાન શાંત થતા ટીમ સ્પેશિયલ વિમાનમાં ભારત આવવા રવાના થઈ ગઈ છે. ટીમ ગુરૂવારે ભારત પહોંચશે.

T20 World Cup 2024

ભારતીય ટીમનું ભારત આગમન પર સ્વાગત કરવામાં આવશે. રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પર ઉતરી શકે છે.

અહેવાલો અનુસાર, ગુરુવારે દિલ્હી આવ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ પીએમ મોદીને મળશે. આ પહેલા વડાપ્રધાને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે કોલ પર વાત કરી હતી અને ટીમના ખિતાબ જીત્યા બાદ અભિનંદન પાઠવતો એક વીડિયો જાહેર કર્યો હતો.

આ પછી ભારતીય ટીમને ખુલ્લી બસમાં ટ્રોફી સાથે લઈ જવામાં આવશે. ચાહકો ટીમ ઈન્ડિયાને જોઈ શકશે. માર્ગો પરથી પસાર થઈને સ્વાગતનો આ ભવ્ય કાર્યક્રમ યોજવાનું આયોજન છે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ આ ઓપન બસમાં રહેશે.

જો કે આ આયોજન દિલ્હી નહીં પરંતુ મુંબઈમાં કરવામાં આવ્યું છે. બીસીસીઆઈની હેડ ઓફિસ મુંબઈમાં જ છે. ભારતીય ટીમ અને ચાહકો માટે આ યાદગાર ક્ષણ બની જશે. ટીમ ઈન્ડિયા ગુરુવારે સાંજે મુંબઈ જઈ શકે છે.

29 જૂને આ વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ નજીકની મેચમાં 7 રને જીત મેળવીને ઈતિહાસ રચ્યો હતો અને દક્ષિણ આફ્રિકાની ટીમનું સપનું તોડી નાખ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X