વર્લ્ડ કપ ફાઈનલમાં જ થઈ મોટી ભૂલ, બેસ્ટ અંપાયરે જણાવ્યું ક્યાં થઈ ચૂક
વર્લ્ડ કપ ફાઈનલમાં જ થઈ મોટી ભૂલ, બેસ્ટ અંપાયરે જણાવ્યું ક્યાં થઈ ચૂક
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2019ના ફાઈનલમાં ભલે ઈંગ્લેન્ડને જીત મળી છે પરંતુ તેમની આ જીત હવે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ક્રિકેટ જગતમાં રોહિત શર્મા, ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહ જેવી કેટલીય હસ્તિઓએ તેમની જીત પર હવે સવાલ ઉઠાવ્યા છે. સુપર ઓવરની ટાઈ બાદ બાઉન્ડ્રીની ગણતરીના હિસાબે ઈંગ્લેન્ડને જીત મળી. મેચની અંતિમ ઓવરમાં ચોથા બોલ પર માર્ટિન ગુપ્ટિલના ઓવરથ્રોથી ઈંગ્લેન્ડને 6 રન મળ્યા. મેચ દરમિયાન બેન સ્ટોક્સના બેટથી લાગેલ આ બોલ બિન ઈરાદાપૂર્વક લાગી અને બાઉન્ડ્રી પાર કરી. ક્રીઝ પર રહેલ અંપાયર કુમાર ધર્મસેનાએ બે રન અને બાયના 4 રન આપ્યા. આ 6 રન ન્યૂઝીલેન્ડની ટીમ પર ભારે પડી ગયા. શું ઈંગ્લેન્ડને આ થ્રોના 5 રન મળવા જોઈતા હતા? શું અંપાયરની એક મોટી ચૂક થઈ જેનાથી મેચનું પરિણામ કંઈક બીજું જ થઈ શકતું હતું.

ટૉફેલે માન્યું અંપાયરની ભૂલ થઈ
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા 5 વખત બેસ્ટ અંપાયર ઑફ ધી યરના અવોર્ડથી નવાજેલ સાઈમન ટૉફેલે કુમાર ધર્મસેનાની ભૂલ પર ચુપ્પી તોડી. ટૉફેલે કહ્યું કે ઈંગ્લેન્ડે ઓવરથ્રોના 6 નહિ બલકે 2 રન આપવાના હતા. આ એક મોટી ભૂલ છે. આ ફેસલો લેવામાં થયેલ મોટી ભૂલ છે. મેચની સ્થિતિને જોતા અંપાયરને લાગ્યું કે થ્રો ફેંકતી વખતે બંને અંપાયરે પોતાની ક્રીઝ બદલી લીધી હતી અને આ મોટી ભૂલ થઈ. ઈંગ્લેન્ડને આ ઓવર થ્રો માટે 6 રન આપવામાં આવ્યા અને હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે અંપાયરના 6 રન આપવાનો ફેસલો કેટલો યોગ્ય હતો.

શું હોય છે અંપાયરની સમસ્યા
ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 242 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને મેચ ટાઈ થઈ હતી. મેચનો ફેસલો સુપરઓવરથી પણ નક્કી ન થઈ શક્યો, સુપરઓવરમાં પણ ટાઈ થઈ હતી. અંતે મેચમાં બાઉન્ડ્રી ગણને ઈંગ્લેન્ડને વિજેતી ઘોષિત કરી દેવામાં આવી. ટૉફેલે અંપાયરના પડકાર પર વાત કરતા જણાવ્યું કે બેટ્સમેનને રન લેતા તમારે જોવાનો છે, ઠીક તે બાદ તમારું ફોકસ ચેન્જ કરી ફીલ્ડરને બોલ ઉઠાવી થ્રો કરતો પણ જોવાનો છે કે આખરે તેણે ક્યારે બોલ ફેંકી. બોલ ફેંકવામાં આવી ત્યારે બેટ્સમેન ક્યાં હતો તેનું પણ તમારે ધ્યાન રાખવાનું હોય.

શું છે ઓવરથ્રોનો નિયમ?
ICCના નિયમ 19.8 મુજબ જો થ્રો ફેંકતી વખતે બંને બેટ્સમેને ક્રીજ પાર કરવી અનિવાર્ય છે. ઈંગ્લેન્ડના કેસમાં સ્ટોક્સ અને રાશીદે ગપ્ટિલનો થ્રો ફેંક્યા બાદ ક્રીઝની અડધી દૂરી પણ નક્કી નહોતી કરી. આવી સ્થિતિમાં બીજો રન ન મળવો જોઈતો હતો. નિયમ કહે છે કે જો કોઈ ફીલ્ડર દ્વારા ફેંકવામા આવેલ થ્રો જો કોઈ બેટ્સમેન બિન ઈરાદાપૂર્વક બાઉન્ડ્રી પાર જાય છે તો બેટ્સમેનને ભાગેલ રનતી ઉપરાંત 4 વધુ રન મળે છે. નિયમ મુજબ વિવાદિત ઓવર થ્રો માટે ઈંગ્લેન્ડને 50મી ઓવરની ચોથી બોલ પર 6ની જગ્યાએ 5 રન જ મળવાના હતા.












Click it and Unblock the Notifications
