કોહલી: ‘આભાર ધોની ભાઇ, તમે હંમેશા મારા કેપ્ટન રહેશો'
વિરાટ કોહલીએ ધોનીના રાજીનામા બાદ તેમનો આભાર માન્યો કહ્યુ ભાઇ તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. તમે હંમેશાથી લીડર રહ્યા છો...
ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને ટી-20 ની કેપ્ટનશીપમાંથી રાજીનામુ આપી દીધુ છે. ધોનીના આ નિર્ણયની ઘણા લોકો પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો દુખી પણ છે. પરંતુ કેપ્ટન ધોનીની વિરાસતને આગળ વધારવાની જવાબદારી જેના ખભા પર છે તે હજુ પણ મહેન્દ્ર સિંહ ધોનીને પોતાના કેપ્ટન માને છે. ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની કેપ્ટનશીપ છોડ્યા બાદ કહ્યુ કે તમે હંમેશા મારા કેપ્ટન રહેશો.

વિરાટ કોહલીએ ટ્વીટર પર ધોનીની કેપ્ટનશીપને યાદ કરતા કહ્યુ કે હંમેશા નેતૃત્વ કરવા માટે તમારો આભાર, એક યુવા જે તમારી આસપાસ રહેવા ઇચ્છે છે. કોહલીએ લખ્યુ કે ધોની ભાઇ તમે હંમેશા મારા કેપ્ટન રહેશો. ઇંગ્લેંડ સાથે વનડે સીરિઝની પહેલા જે રીતે ધોનીએ કેપ્ટનશીપથી રાજીનામુ આપ્યુ તેણે દરેકને ચકિત કરી દીધા હતા. પરંતુ ટીમ ઇંડિયાના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યુ કે આ યોગ્ય સમયે લેવામાં આવેલો યોગ્ય નિર્ણય છે.
પ્રસાદે કહ્યુ કે ધોનીએ આ નિર્ણય યોગ્ય સમયે લીધો છે. અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. વળી તેમણે એ વાતના પણ સંકેત આપ્યા કે તે આગામી ઇંગ્લેંડ સીરિઝ સામે ટીમનો હિસ્સો રહેશે. તેમણે કહ્યુ કે ધોનીની અંદર હજુ પણ ઘણુ ક્રિકેટ બાકી છે. તેમણે કહ્યુ કે જો ધોનીએ આ નિર્ણય એક વર્ષ કે છ મહિના પહેલા લીધો હોત તો મને આશ્ચર્ય થાત પરંતુ તેમણે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે વિરાટ કોહલીએ પોતાને કેપ્ટન તરીકે સાબિત કર્યો છે અને તે જવાબદારી લેવા માટે તૈયાર છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
