જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
જ્યોરે ટૉસ દરમ્યાન ખેલાડીનું નામ ભૂલી ગયા શ્રેયસ ઐય્યર, વોર્નરે મદદ કરી
નવી દિલ્હીઃ આઈપીએલના સેમીફાઈનલ મુકાબલામાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ટૉસ માટે મેદાનમાં આવ્યા ત્યારે કંઈક એવું થયું જેણે ખેલ ભાવનાનો શાનદાર પરિચય આપ્યો. ટૉસ જીતી દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરે પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો. જ્યારે તેમને ટીમમાં બદલાવ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે પ્રવીણ દુબેનું નામ લીધું પરંતુ બીજા ખેલાડીનું નામ ભૂલી ગયા, જે બાદ પાછળ ઉભેલા હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે તેમની મદદ કરી અને હેટમાયરનું નામ જણાવ્યું.

ટૉસ સમયે શ્રેયસ ઐય્યરે કહ્યું કે હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલ બંને મેચમાં અમે બોલિંગ કરવાનો ફેસલો કર્યો હતો, પરંતુ આજે પિચ સારી છે જેથી અમે પહેલાં બેટિંગ કરીને સારો સ્કોર ખડકવા માંગશું, જે અમારા બેટ્સમેનોની જવાબદારી છે. ડેવિડ વોર્નરે કહ્યું કે જો અમે ટૉસ જીત્યા હોત તો બોલિંગ જ કરવાનો ફેસલો લેત. અમને લાગે છે કે પાવર પ્લેમાં સારી વિકેટ લઈ શકીએ છીએ.
જો કે ડેવિડ વોર્નરનું ગણિત એકદમ ખોટું પડ્યું અને પાવર પ્લે દરમ્યાન એકેય વિકેટ ના ખરી અને ધવન અને સ્ટોઈનિસની શાનદાર પાર્નરશિપે દિલ્હીને પાવર પ્લેમાં જબરો સ્કોર ખડકવામાં મદદ કરી.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
