પાકિસ્તાની ઓલરાઉન્ડરનો ખુલાસો, 2009માં શાહરૂખ ખાને આપી હતી આ મોટી ઓફર
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં દુનિયાભરના ક્રિકેટરો ભાગ લે છે, પરંતુ આ લીગમાં માત્ર પાકિસ્તાનના ખેલાડીઓ જ રમતા નથી. વાસ્તવમાં, મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની ક્રિકેટરો પર IPLમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2009 બાદથી
વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં દુનિયાભરના ક્રિકેટરો ભાગ લે છે, પરંતુ આ લીગમાં માત્ર પાકિસ્તાનના ખેલાડીઓ જ રમતા નથી. વાસ્તવમાં, મુંબઈ હુમલા બાદ પાકિસ્તાની ક્રિકેટરો પર IPLમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 2009 બાદથી કોઈ પાકિસ્તાની ખેલાડી IPLમાં નથી રમ્યો, પરંતુ આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર યાસિર અરાફાતે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

પાકિસ્તાની ઓલરાઉન્ડરનો ખુલાસો
'યાસિરનું કહેવું છે કે 2009માં એવી આશા હતી કે પાકિસ્તાની ખેલાડીઓને કદાચ IPLમાં રમવાની મંજૂરી આપવામાં આવશે, તેથી તેને કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો હતો. યાસિરે જણાવ્યું કે શાહરૂખ ખાને પોતે જ તેને આ કોન્ટ્રાક્ટ ઓફર કર્યો હતો અને તેને 3 વર્ષ માટે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાવાનું કહ્યું હતું.

શાહરૂખ ખાને આપી હતી ઓફર
યાસિરે એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, પીસીબી દ્વારા આઈપીએલની પ્રથમ સીઝન માટે પસંદ કરાયેલા ખેલાડીઓમાં મારું નામ ન હતું, તેથી હું પ્રથમ સીઝન રમી શક્યો ન હતો. વેલ હું 2008માં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો, જ્યાં KKRની સ્કાઉટિંગ ટીમ ખાસ ભારતથી આવી હતી અને તેઓ મને એક મેચ દરમિયાન મળ્યા ત્યારે તેઓએ મને કહ્યું કે શાહરૂખ ખાન ઈચ્છે છે કે હું તેમના માટે રમું.

'મુંબઈ હુમલાને કારણે વાત આગળ વધી ન હતી'
યાસિરે વધુમાં કહ્યું કે પહેલા મને લાગ્યું કે આ મજાક છે. મેં વિચાર્યું કે શાહરૂખ ખાન શા માટે કોઈને મારી સાથે કોન્ટ્રાક્ટ વિશે વાત કરવા મોકલશે? પરંતુ તેઓએ મને એક કાર્ડ પણ આપ્યું અને મારી પાસેથી મારી સંપર્ક વિગતો પણ લીધી. થોડા અઠવાડિયા પછી, મને એક મેલ મળ્યો, જેમાં મને કહેવામાં આવ્યું કે મારો સંપર્ક ન કરો અને પછી તેના વિશેની ચર્ચા બંધ થઈ ગઈ. યાસિરે કહ્યું કે મને શાહરૂખ તરફથી 3 વર્ષનો કોન્ટ્રાક્ટ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ મુંબઈ હુમલાને કારણે પાકિસ્તાની ખેલાડીઓ પર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
