ટી20 વર્લ્ડકપ: ટીમ ઇન્ડિયાના મુકાબલા પહેલા જાણો આ વાતો
ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે છે. બંને ટીમો નાગપુરમાં એકબીજાની સામસામે હશે. આ મુકાબલો આજે સાંજે 7.30 વાગ્યે જોવા મળશે. 11 સપ્ટેમ્બર 2012 પછી પહેલીવાર આ બંને ટીમો આમનેસામને આવી છે.
2012 ની મેચ વખતે અને હમણાંની બંને ટીમોમાં ખુબ જ ફેરબદલ થયા છે એટલે બંને ટીમોને એકબીજા વિશે વધારે કઈ જ ખબર નથી. એક પછી એક મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનો આત્મવિશ્વાસ ખુબ જ વધી ગયો છે અને આંકડાની વાત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડથી ઘણી આગળ છે. તો ચાલો ટીમ ઇન્ડિયા ના મુકાબલા પહેલા જાણો આ વાતો...

ટીમ ઇન્ડિયાનો પહેલો મુકાબલો ન્યુઝીલેન્ડ
ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ 4 વખત આમને સામને આવી ચુક્યા છે. પરંતુ એક વાર પણ ટીમ ઇન્ડિયા જીતી નથી શકી.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
ટી20 વર્લ્ડકપમાં બંને ટીમો એક વાર જ સામ સામે આવે છે. જેમાં ન્યુઝીલેન્ડ 10 રનથી જીત્યું હતું.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને યુવરાજ સિંહ બંને એક એવા ખેલાડી છે, જેઓ ન્યુઝીલેન્ડ સામે ની 4 મેચમાં રમી ચુક્યા છે.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
વિરાટ કોહલી જ એક એવા ખેલાડી છે જેને ન્યુઝીલેન્ડ સામે સૌથી વધારે 70 રન બનાવ્યા છે.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 93 વન ડે મેચ રમાઈ છે. જેમાં 46 મેચોમાં ભારતનો વિજય થયો છે જયારે 41 મેચો માં ન્યુઝીલેન્ડ.

ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ
મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 વન ડે મેચ રમાઈ છે. જેમાં 5 મેચોમાં ભારત વિજય રહ્યું છે.












Click it and Unblock the Notifications
