સદી ફટકારી ટીકાકારોને જવાબ આપ્યો ગંભીરે
ચેન્નાઇ, 17 ફે્બ્રુઆરીઃ ભારતના અપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે 'ઇન્ડિયા એ' તરફથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી પસંદગીકર્તાઓને કરારા જવાબ આપ્યો છે. નોંધનીય છે કે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી દરમિયાન પહેલી બે મેચો માટે ટીમની બહાર કરવામાં આવ્યો છે. જો કે, ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલું શ્રેણીમાં તેનું પ્રદર્શન અન્ય ખેલાડીઓની સરખામણીએ સારું રહ્યુ હતુ.

એ તો પહેલેથી જ નક્કી છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી પહેલી બે ટેસ્ટ મેચોમાં તે નથી, પરંતુ એ જોવાનું છે કે અન્ય બાકી બે ટેસ્ટ મેચોમાં તક આપવામાં આવે છે કે નહીં. પસંદગીકારોએ ગંભીરને ટીમથી બહાર કરવા સામે પ્રશ્નો ઉઠી રહ્યાં હતા કે ગંભીરનું પ્રદર્શન ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્થાનિક શ્રેણીમાં, સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગ કરતા તો સારું હતું પરંતુ સેહવાગને ખરાબ ફોર્મ બાદ પણ ટીમમાં સ્થાન મળ્યુ અને સચિનના પ્રદર્શનની વાત કરીએ તો તે લાંબા સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો નથી.
વિરેન્દ્ર સેહવાગ ફિટ નથી અને તે ઇરાની ટ્રોફીમાં રમી શક્યો નથી. તેમજ પસંદગીકર્તાએ સારા પ્રદર્શન કરનારા વસીમ જાફના સ્થાને મુરલી વિજયને ટીમ ઇન્ડિયામાં સ્થાન આપ્યું. જ્યારે સુનિલ ગાવસ્કરે વસીમ જાફરમાં સમર્થન કર્યું હતું.












Click it and Unblock the Notifications
