જેલમાં શ્રીસંત અને ચંડિલા વચ્ચે થઇ આક્ષેપબાજી અને મારામારી

સૂત્રોના જણાવ્યા અનુસાર કસ્ટડીમાં શ્રીસંત અને ચંદીલા વાતચીત કરી રહ્યા હતા અને શ્રીસંતે ચંદીલા પર પોતાને ફિક્સીંગમાં ફસાવવાનો આરોપ મૂક્યો અને બંને જીભાજોડી પર ઉતરી આવ્યા. શ્રીસંતે ચંદીલાને એમ પણ કહ્યું કે મારી જિંદગી બરબાદ કરવામાં તારો જ હાથ છે. જવાબમાં ચંદીલા પણ ઉગ્ર થઇને બાંયો ચડાવીને શ્રીસંત સામે લડવા આવી ગયો. બંને વચ્ચે મારામારી થવાની તૈયારીમાં જ હતી પરંતુ પોલીસે જઇને બંનેને છૂટા પાડ્યા.
ધરપકડ કરાયા બાદ શ્રીસંત પોતાની તબિયત લથડવાની ફરિયાદ કરતો રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે ડિપ્રેશનમાં આવી ગયો છે અને વારંવાર ઉશ્કેરાઇ જાય છે. IPLમાં મળતી અધધ રકમથી પણ ન ધરાયેલા આ ક્રિકેટરો ફિક્સીંગમાં પણ કાળી કમાણી કરવામાં પાછા નથી પડતા અને હવે ઝડપાયા છે ત્યારે પોતાના દોષોનો ટોપલો એકબીજા માથે ઢોળી રહ્યા છે.












Click it and Unblock the Notifications
