ચેમ્પિયન ટ્રોફી: યુવરાજ-ગૌતમની બાદબાકી, કાર્તિકનું પુનરાગમન
નવી દિલ્હી, 4 મે: ચેમ્પિયન ટ્રોફી માટે શનિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દિધી છે. પસંદગીકર્તાઓએ ચેમ્પિયન ટ્રોફી માટે 15 ખેલાડીઓના નામ નક્કી કર્યા છે પરંતુ 15 ખેલાડીઓની યાદીમાં યુવરાજ સિંહ અને ગૌતમ ગંભીરની બાદબાકી નથી. પસંદગીકર્યાએ દિનેશ કાર્તિક, વિનય કુમાર, અમિત મિશ્રા અને ઇરફાન પઠાણ પર વિશ્વાસ મુક્યો છે.
ચેમ્પિયન ટ્રોફી જૂનમાં ઇગ્લેંડમાં રમાવનારી છે. ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ઇજા બાદ ટીમમાં પુનરાગમન કર્યું છે જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગના છઠ્ઠા સંકરણમાં શાનદાર ફોર્મમાં જોતા મળતાં વિકેટકિપર અને બેસ્ટમેન દિનેશ કાર્તિક લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે.
આઇસીસીના આ સંસ્કરણની સમાપ્તિ બાદ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન નહી કરવાનો નિર્ણય કર્યો છે. વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમમાં આઇસીસી માટે આ ટૂર્નામેન્ટ માટે જગ્યા બનાવવી મુશ્કેલ છે.
ભારતીય ટીમ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહણી, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ઇરફાન પઠાણ, ઉમેશ યાદવ, ભુનેશ્વર કુમાર, ઇશાંત શર્મા, અમિત મિશ્રા અને વિનય કુમાર.