પાકિસ્તાની ક્રિકેટર્સને પગલે મહિલા વિશ્વકપની મેજબાની કરવાનો GCAનો ઇન્કાર

જીસીએના સેક્રેટરી રાજેશ પટેલે કહ્યું છે કે, બીસીસીઆઇએ અમારો સંપર્ક કર્યો હતોઅને આઇસીસી મહિલા વિશ્વકપ 2013ને હોસ્ટ કરવા માટે અમદાવાદ તૈયાર છે તે અંગે પૂછ્યું હતું, પરંતુ બોર્ડર પર જે તણાવભર્યો માહોલ ઉભો થયો છે તેને લઇને અમે આ વિશ્વકપને હોસ્ટ કરવાની ના પાડી દીધી છે. હવે મેચ તેના નક્કી કરેલા સ્થળ અને સમય સાથે જ આગળ વધશે કે તેમાં કોઇ ફેરબદલ કરવામાં આવશે તે અંગેનો નિર્ણય આઇસીસી અને બીસીસીઆઇ દ્વારા કરવામાં આવશે.
વિશ્વકપની મેચ અમદાવાદમાં યોજવા અંગેના પ્રસ્તાવ સબબ બીસીસીઆઇએ જીસીએનો મૌખિક સંપર્ક કર્યો હતો. એલઓસીમાં પાકિસ્તાન દ્વારા સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યા બાદ ઉદ્દભવેલા તણાવ પછી પાકિસ્તાન દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવસેના દ્વારા મુંબઇમાં હોકી ઇન્ડિયા લીગમાં પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા લેવામાં આવેલા ભાગનો પણ વિરોધ કર્યો હતો, જેને લઇને વિવિધ ફ્રેન્ચાયઝીએ પાકિસ્તાની ખેલાડીઓને પરત મોકલવા પડ્યાં હતા.
જાન્યુઆરી 31થી ફેબ્રુઆરી 17 દરમિયાન આઠ મહિલા ક્રિકેટ ટીમ વિશ્વકપમાં ભાગ લેવા માટે મુંબઇ આવી રહી છે, પરંતુ શક્યતાઓ છે કે કદાચ તે દરમિયાન વિરોધ પણ કરવામાં આવે. વિશ્વકપ માટેની મેચો માટે વાનખેડે સ્ટેડિયમ, ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયાનું બ્રાબોર્ન સ્ટેડિયમ, મુંબઇ ક્રિકેટ એસોસિએશનનું બાંદ્રા કુર્લા કોમ્પેલ્ક્ષ ગ્રાઉન્ડ અને એમઆઇજી ક્લબ વેન્યુ તરીકે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
