હરભજન સિંહે બીસીસીઆઈને પત્ર લખીને વિવાદનો મધપુડો છેડ્યો, જાણો શું છે પુરો મામલો?
પુર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે નવો વિવાદે છેડ્યો છે. હરભજન સિંહે પંજાબ ક્રિકેટ એસોસિએશનના ચીફ ગુલઝારિંદર સિંહ ચહલ સામે મોરચો ખોલ્યો છે. હરભજને બીસીસીઆઈને પત્ર લખીને મોટા વિવાદને જન્મ આપ્યો છે.
નવી દિલ્હી : પુર્વ ક્રિકેટર અને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે નવો વિવાદે છેડ્યો છે. હરભજન સિંહે પંજાબ ક્રિકેટ એસોસિએશનના ચીફ ગુલઝારિંદર સિંહ ચહલ સામે મોરચો ખોલ્યો છે. હરભજને બીસીસીઆઈને પત્ર લખીને મોટા વિવાદને જન્મ આપ્યો છે. પત્રમાં હરભજન સિંહે પીસીએ ચીફ ચહલ સહિત એસોસિએશનના અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
બીસીસીઆઈને લખેલા પત્રમાં હરભજન સિંહે લખ્યુ છે કે, છેલ્લા એકાદ અઠવાડિયાથી મને પંજાબ અને અન્ય ઘણા ક્રિકેટ પ્રેમીઓ તરફથી ઘણી ફરિયાદો મળી રહી છે કે વર્તમાન પ્રમુખ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આશરો લઈ રહ્યા છે. જે PCA ની પારદર્શિતા અને ક્રિકેટ વહીવટની ભાવનાની વિરુદ્ધ છે. હરભજન સિંહે પત્રમાં PCA સભ્યો અને હિતધારકોને રાજ્ય ક્રિકેટ સંસ્થાની અખંડિતતા જાળવવા માટે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને બંધ કરવા વિનંતી કરી છે.
હરભજને કહ્યું કે, તેમને છેલ્લા 10 દિવસથી આવી ગંભીર ફરિયાદો મળી રહી છે. જેમાં PCA પ્રમુખ ગુલઝારિન્દર સિંહ ચહલ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આશરો લેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હરભજને પત્રમાં લખ્યું કે, મને ખબર પડી કે ગઈ કાલે લોકપાલમાં આ સંબંધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
હરભજને બીસીસીઆઈને પોતાના ખુલ્લા પત્ર દ્વારા ગુલઝારિન્દર સિંહ ચહલ પરના આરોપો અંગે બીસીસીઆઈને જાણ કરી છે. તેણે કહ્યું છે કે આ મામલો પંજાબ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સાથે જોડાયેલો છે. ગુલઝારિન્દર 150 સભ્યોને પોતાના પક્ષમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા છે. પૂર્વ ક્રિકેટરે તેના પત્રમાં દાવો કર્યો છે કે આ તમામ બાબતો PCA પ્રમુખ ગુલઝારિન્દર સિંહ ચહલ, તેમના કોન્સ્યુલેટ અથવા એપેક્સ કાઉન્સિલની સંમતિ વિના કરવામાં આવી રહી છે, જે PCA માર્ગદર્શિકા અને BCCI નિયમોની વિરુદ્ધ છે.