હું ક્રિકેટનો ભગવાન નથીઃ સચિન તેંડુલકર
તેંડુલકરે કહ્યું, ' હું ક્રિકેટનો ભગવાન નથી, હું ભુલો કરું છું, ભગવાન ક્યારેય કરતા નથી. હું હંમેશા સુનિલ ગાવસ્કર અને વિવિયન રિચાર્ડ્સને મારા રોલ મોડલ માનું છું અને હું બન્નેનું કોમ્બિનેશન બનવા માંગુ છું.'
તેંડુલકર અને મુંબઇ ઇન્ડિયન્સ ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે આઇપીએલ 6ની મેચમાં રોયલ ચેલેન્જર્સ સાથે ટકરાશે. ભૂતકાળમાં તેંડુલકરના ક્રિકેટના યોગદાન બદલ તેને ભગવાન તરીકે સંબોધતા હતા, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માઇકલ હસ્સીએ પણ સચિનને ક્રિકેટના ભગવાન તરીકે ગણાવ્યા હતા.
તેંડુલકરે કહ્યું, ' ટીમ ઇન્ડિયાની જર્સી અને કેપ પહેરવીએ મારી માટે મહત્વની વસ્તુ છે અને ત્યારપછી એ વસ્તુ મહત્વની નથી કે મારી પાસે 10 જીન્સ અને 20 ટીશર્ટ છે. ભારત માટે રમવાની જે યાત્રા છે તે મારી અવિશ્વસિનય છે. હું જ્યારે પાછળ વળીને જોઉ છું ત્યારે બસ અને ટ્રેનમાં ધક્કા લાગતા એ યાદ આવે છે પરંતુ હું પ્રેક્ટિસ શરૂ કરતા પહેલા મારી જાતને ફીટ કરી લેતો હતો.'
ગયા વર્ષે 100મી આતંરરાષ્ટ્રીય સદી ફટકાર્યા બાદ સચિને કહ્યું હતું કે, મારો પ્રથમ પ્રશ્ન ભગવાનને એ હતો કે શા માટે આટલો બધો સમય લાગ્યો? મેં શું ખોટું કર્યું હતું? લાખો લોકો તેની રાહ જોઇ રહ્યાં છે તો તેને પૂર્ણ કરવામાં આટલી બધું મોડું થવું જોઇતું નહોતું.