For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના પુસ્તક પરથી ફિલ્મ બનાવવા ઇચ્છે છેઃ યુવરાજ સિંહ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 એપ્રિલઃ કેન્સર જેવી અસાધારણ બીમારીને હરાવીને ક્રિકેટના મેદાન પર પુનરાગમન કરીને એક મિસાલ બની ગયેલા ક્રિકેટર યુવરાજ સિંહે અત્યારસુધીની તેની યાત્રા પર આધારિત પુસ્તક પર એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે. યુવરાજનું કહેવું છે કે મે હજુ સુધી એ વિચાર્યું નથી કે ફિલ્મમાં મારી ભૂમિકા કોણ નિભાવશે.

યુવરાજના જીવન પર આધારિત પુસ્તક 'ટેસ્ટ ઓફ માઇ લાઇફ'નું થોડા સમય પહેલાં જ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં યુવરાજે પોતાની ક્રિકેટ યાત્રા અને કેન્સર દરમિયાનની પોતાની જિંદગીનું વર્ણન કર્યું છે. ફિલ્મોમાં એક્ટિંગ કરવા અંગે યુવરાજનું કહેવું છે કે આ અંગે તેણે ક્યારેય વિચાર્યું નથી. હું અત્યારે માત્ર મારી રમત પર ધ્યાન આપવા ઇચ્છું છું. જો કે, નિવૃત્તિ બાદ ફિલ્મોમાં કામ કરવા અંગે વિચારી શકું છું.

yuvraj-cancer
આઇપીએલમાં યુવરાજ પુણે વોરિયર્સ તરફથી રમી રહ્યો છે. પહેલા ત્રણ સત્રોમાં તે પંજાબ તરફથી રમી રહ્યો હતો. યુવરાજ માને છે કે પંજાબની ટીમ સાથે જોડાવું તેના માટે ખાસ ક્ષણો હતી, હું પંજાબમાં મોટો થયો છું અતઃ તેના પ્રત્યે મને વિશેષ લગાવ છે, પરંતુ હવે હું પુણેની ટીમ તરફથી રમી રહ્યો છું અતઃ આ ટીમ માટે 100 ટકા આપવું એ મારી પ્રાથમિકતા છે.

નોંધનીય છે કે યુવરાજે આઇપીએલમાં અત્યાર સુધી 58 મેચોમાં 1239 રન બનાવ્યા છે, જેમાં બોલિંગ કરતા 24 વિકેટ લીધી છે.

English summary
Indian cricketer Yuvraj singh says he wants to make a film on his life but he didn't decide who will play his character in film.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X