પાકિસ્તાનને ભારતનો મોટો ઝટકો, ભારતીય ટીમ એશિયા કપ માટે પાકિસ્તાન નહીં જાય
ભારતીય ટીમ એશિયા કપ 2023માં પાકિસ્તાન નહીં જાય. આ મુદ્દે હજુ સુધી બીસીસીઆઈની કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
નવી દિલ્હી : એશિયા કપ 2023 નું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવી રહ્યું છે. લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી કે ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે કેમ? હવે આ મુદ્દે ભારતે પાકિસ્તાનને ઝટકો આપ્યો છે. બીસીસીઆઈ પોતાના નિર્ણય પર કાયમ છે અને ભારતીય ટીમ પાકિસ્તાનમાં એશિયા કપ રમવા માટે નહીં જાય. હવે એશિયા કપ ન્યૂટ્રલ જગ્યાએ યોજાશે.

BCCI સેક્રેટરી જય શાહે પુષ્ટિ કરી છે કે, ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ માટે ન્યૂટ્રલ જગ્યા પસંદ કરાશે. આ પહેલા રમીઝ રઝા બીસીસીઆઈના નિર્ણયને લઈને ઘણી વખત ટિપ્પણી કરી ચૂક્યા છે અને તેમણે ધમકી પણ આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર, જય શાહ હજુ પણ એશિયા કપમાં પાકિસ્તાન નહીં જવાના નિર્ણય પર અડગ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. એશિયા કપ 2023 માટે તટસ્થ સ્થળ નક્કી કરાશે. જો કે આ સત્તાવાર નિવેદન નથી. બીસીસીઆઈનું હજુ કોઈ નિવેદન આવ્યુ નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, પીસીબી અધ્યક્ષ નજમ સેઠીએ ઈમરજન્સી બેઠકની માંગ કરી હતી. આ માંગને એશિયા ક્રિકેટ કાઉન્સિલે સ્વીકારી હતી અને બેઠક માટે જય શાહ બહેરીન ગયા છે. અહીં એશિયા કપ 2023 અંગે નિર્ણય લેવાનો હતો. પીસીબીએ એશિયા કપને લઈને લીધેલા નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દે રમીઝ રજાએ કહ્યું હતું કે, જો ટીમ ઈન્ડિયા એશિયા કપ માટે પાકિસ્તાન નહીં આવે તો પાકિસ્તાનની ટીમ પણ ભારત નહીં જાય અને આ વખતે એશિયા કપ પણ પાકિસ્તાનની ટીમ વિના જ રમવો પડશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
