IPL-6: હૈદરાબાદની પંજાબ પર 5 વિકેટ પર ધમાકેદાર જીત

સનરાઇઝર્સે કિંગ્સ ઇલેવન દ્વારા આપવામાં આવેલા 124 રનના લક્ષ્યને 18.5 ઓવરમાં જ પાંચ વિકેટના નુકસાન પર હાસલ કરી લીધું. અંતિમ ક્ષણોમાં મેચ રોમાંચક વળાંકમાં આવી ગઇ હતી. તેને 12 બોલ પર 18 રનની જરૂરિયાત હતી. હાલત ગંભીર હતી પરંતુ થિસિરા પરેરાએ (અણનમ 23) મહમૂદ દ્વારા ફેકવામાં આવેલ 19મી ઓવરમાં ત્રણ છગ્ગા લગાવીને સનરાઇઝર્સની જીત પાક્કી કરી લીધીં.
પરેરાએ 11 બોલનો સામનો કરતા ત્રણ છગ્ગા લગાવ્યા. આશીષ રેડ્ડીએ છ રનો પર અણનમ ફર્યા. આ બંનેએ 16 ઓવર પર 30 રનોની ભાગીદારી નીભાવી. સનરાઇઝર્સે અત્યાર સુધી સાત મેચ રમી છે. પાંચમાં તેને જીત અને બે મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી બાજુ કિંગ્સ ઇલેવને પાંચ મેચ રમી છે જેમાંથી બેમાં જીત અને ત્રણમાં હાર નસીબ થઇ છે.












Click it and Unblock the Notifications
