હું દ્રવિડને ભગવાન માનું છું: પૂજારા
બેન્ગલોર, 21 નવેમ્બરઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી લગાવીને ચર્ચામાં આવેલા ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વર પૂજારાએ કહ્યું છેકે તેની તુલના રાહુલ દ્રવિડ સાથે કરી શકાય નહીં. મે હજુ મારી ટેસ્ટ કારકિર્દીનો આગાઝ કર્યો છે, જ્યારે રાહુલે ભારતને ઘણી મેચોમાં વિજેતા બનવામાં મદદ કરી છે.

તેને ટીમ ઇન્ડિયામાં દ્રવિડનો વિકલ્પ કહેવામાં આવતા પૂજારાએ કહ્યું છેકે તેને દ્રવિડ બનવા માટે હજુ લાંબો રસ્તો નક્કી કરવાનો છે. રાહુલ દ્રવિડ મારા આદર્શ છે અને હું તેમનામાંથી પ્રેરણા લઉ છું. તે ટેસ્ટમાં સર્વાધિક રન બનાવાર ત્રીજા ખેલાડી છે. મારા માટે રાહુલ ભગવાનની જેમ છે ભક્ત અને ભગવાનની તુલના ક્યારેય પણ કરી શકાય નહીં.
રાહુલ દ્રવિડને પોતાનાથી સારા ગણાવતા પૂજારાએ કહ્યું કે તે માનસિક રીતે ખણા મજબૂત ખેલાડી હતા, તેમની ટેક્નિક સારી હતી જે આકરી મહેનત કરતા મેળવી હતી તેથી મારી તેમની સાથે તુલના થઇ શકે નહીં. પૂજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં છ મેચોમાં બે સદી અને એક અડધી સદીની મદદથી 570 રન બનાવ્યા છે. તેમજ પ્રથમ શ્રેણીમાં તેણે 69 મેચોમાં 5,201 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 22 અડધી સદી ફટકારી છે. પ્રથમ શ્રેણીમાં તેનો ઉચ્ચ સ્કોર 302 છે.












Click it and Unblock the Notifications
