IPL : રાજીવ શુક્લાનું રાજીનામુ, શ્રીનિવાસને રાજીનામા માટે મૂકી 3 શરતો
બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા નથી ત્યારે આઇપીએલ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા અંગેના પશ્નના જવાબમાં રાજીવ શુક્લાએ જણાવ્યું કે તાજેતરના વિવાદોને જોતા મેં આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય લેતા પહેલા મેં સંજય જગદાલે અને અજય શિરકેએ આપેલા રાજીનામાને પણ ધ્યાનમાં લીધા છે.
બીજી તરફ શ્રીનિવાસનના રાજીનામા માટે 2 જૂન મહત્વનો દિવસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ રવિવારે રાજીનામુ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આપાતકાળ બેઠકમાં દરેક સભ્યોને પોતાની વાત કહેવાની તક આપવામાં આવશે. આ ઉપરથી તેઓ નિર્ણય લઇ શકશે તે બોર્ડમાં કેટલા સભ્યો તેમની સાથે છે અને કેટલા તેમની વિરુદ્ધમાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓ રાજીનામુ આપવું કે નહીં તે નક્કી કરશે.
સૂત્રો એમ પણ જણાવે છે કે શ્રીનિવાસને પોતાનું પદ છોડવા માટે ત્રણ શરતો મૂકી છે. આ સંદર્ભમાં તેમણે બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે.