માસ્ટર બ્લાસ્ટર સચિને આઇપીએલને કહ્યું અલવિદા
કલકત્તા, 27 મે: ક્રિકેટના ભગવાન કહેવામાં આવતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે ઇન્ડિયન પ્રીમિયર લીગમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દિધી છે. કલકત્તાના ઇડન ગાર્ડન મેદાનમાં રવિવારે રમવામાં આવેલા આઇપીએલ-6ના ફાઇનલ મુકાબલામાં ચેન્નઇ સુપર કિંગ્સ સામે મુંબઇ ઇન્ડિયંસની ટીમની જીત અને આઇપીએલ ચેમ્પિયન બન્યા બાદ સચિન તેંડુલકરે આ જાહેરાત કરી હતી. જો કે સચિન તેંડુલકરે આજે મેચમાં ભાગ લીધો ન હતો.
સચિન તેંડુલકરે પોતાની ટીમની ખિતાબી જીત બાદ કહ્યું હતું કે આ મારી છેલ્લી આઇપીએલ હતી. હું માનું છું કે આ આઇપીએલને અલવિદા કહેવાનો યોગ્ય સમય છે. મારે વાસ્તવિકતાને સ્વિકાર કરવી જોઇએ. મે નિર્ણય કર્યો છે કે આ મારી છેલ્લી આઇપીએલ છે. આનાથી જોરદાર સમાપન હોય ન શકે.
જ્યારે એક મહાન બેસ્ટમેન સુનિલ ગાવસ્કરે સચિન તેંડુલકરને પૂછ્યું હતું કે શું આગામી વર્ષે વાનખેડેમાં મુંબઇ ઇન્ડિયંસની પ્રથમ મેચ રમીને સંન્યાસ લેવો પસંદ કરશે નહી, તો સચિન તેંડુલકરે કહ્યું હતું કે 'મેં વર્લ્ડકપ માટે 21 વર્ષ સુધી રાહ જોઇ પરંતુ આઇપીએલ ખિતાબ માટે ફક્ત છ વર્ષ રાહ જોવી પડી. આ માટે એકદમ ખાસ છે. હું આઇપીએલના આગામી સત્રમાં રમીશ નહી, તેમને કહ્યું હતું કે 'હું ટ્રોફીને ચૂમવા માટે બેતાબ છું. બધાનો આભાર માનવાનો આ યોગ્ય સમય છે.'

ગત વર્ષે ડિસેમ્બરમાં એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર સચિન તેંડુલકર આ વખતે આઇપીએલમાં અપેક્ષિત પ્રદર્શન કરી શક્યા નથી. તેમને કહ્યું હતું કે 14 મેચોમાં 22.07ની એવરેઝ સાથે 287 રન બનાવ્યા અને તેમનો ઉચ્ચતમ સ્કોર 54 રનનો રહ્યો છે.
સચિન તેંડુલકરે 13 મેના રોજ સનરાઇઝર્સ હૈદ્રાબાદ વિરૂદ્ધ બેટીંગ કરતી વખતે ઇજા પહોંચી હતી અને ત્યારબાદ કોઇ મેચમાં રમી શક્યા ન હતા. તેમને 2008માં આઇપીલની શરૂઆત સાથે જ મુંબઇ ઇન્ડિયંસનો ભાગ રહ્યાં છે. તેમને આ ટૂર્નામેન્ટમાં 78 મેચોમાં 34.83ની એવરેઝ સાથે 2334 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 13 અર્ધશતકનો સમાવેશ થાય છે. અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ રમનાર સચિન તેંડુલકર લાંબાગાળાથી ક્રિકેટ સાથે સંકળાયેલા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
