બીસીસીઆઇની પસંદગી કમિટીમાં સંદિપ પાટિલ, અમરનાથની હકાલપટ્ટી

sandeep patil
મુંબઇ, 27 સપ્ટેમ્બરઃ બીસીસીઆઇ દ્વારા ગુરુવારે રાષ્ટ્રીય પસંદગી કમિટીની જાહેરાત કરવામાં આવી. જેમાં ચેરમેન પદે પૂર્વ ભારતીય ક્રિકેટર સંદીપ પાટિલની પંસદગી કરવામાં આવી છે, જ્યારે મોહિન્દર અમરનાથની માત્ર એક વર્ષના સમયગાળા બાદ જ હકાલપટ્ટી કરવામાં આવી છે.

શ્રીકાંતના સ્થાને 56 વર્ષિય પાટિલની નિયુક્તિ કરવામાં આવી છે. પાટિલના નામની જાહેરાત એક આશ્ચર્ય પમાડે તેવી બાબત બની રહી છે, કારણ કે બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠક મળી તેમાં સંભવિત ઉમેદવારોમાં પણ તેમના નામનો ઉલ્લેખ નહોતો.

રોજર બિન્ની(સાઉથ), વિક્રમ રાઠોડ(નોર્થ), સબા કરિમ(ઇસ્ટ) અને રાજેન્દર સિંહ હન્સ(સેન્ટ્રલ)નો નવી પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથને માત્ર એક વર્ષના સમયગાળા બાદ જ હટાવી લેવામાં આવ્યાં છે.

ભારત માટે વર્ષ 1986 અને 1992માં વિકેટકીપર અને બેટ્સમેન તરીકે રમનાર ચંન્દ્રકાત પંડિતને જૂનિયર સિલેક્શન કમિટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે.

તેમજ એજીએમ દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પસંદગીકારોના વાર્ષિક મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે, જે વધારીને રૂ. 40 લાખથી રૂ. 60 લાખ કરવામાં આવ્યો છે, જ્યારે જૂનિયર પસંદગીકારોનું મહેનતાણું રૂ. 20 લાખથી વધારીને રૂ. 40 લાખ કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X