For Quick Alerts
For Daily Alerts
ગાંગુલીએ કહ્યું, ‘પૂજારા-ઝહીરની ટીમ ઇન્ડિયાને જરૂર છે’
કોલકતા, 20 જાન્યુઆરીઃ ન્યુઝીલેન્ડ સામેના પ્રવાસની પહેલી વનડેમાં હારી ગયા બાદ પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતે પોતાની વનડે ટીમમાં ચેતેશ્વર પૂજારા અને ઝહીર ખાનની જરૂર છે. ઇશાંત શર્માની પસંદગીની ટીકા કરતા ગાંગુલીએ કહ્યું કે, ભારતે ઘણા રન ગુમાવ્યા, જ્યારે તેમી ટીમમાં વિરાટ કોહલીના રૂપમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો.
પૂર્વ સુકાનીએ કહ્યું કે, આ રીતે ઝહીરના બોલિંગ આક્રમણની જરૂર છે. જો તે ટેસ્ટમાં 30 ઓવર ફેંકી શકતો હોય તો પછી 10 ઓવર શા માટે ના ફેંકી શકે? ઇંશાતની ટીકા કરતા ગાંગુલીએ કહ્યું કે, તે અનુભવ સાથે વરિષ્ઠ ભારતીય બોલર છે, પરંતુ તેના પર દબાણ સતત રહે છે. મોહમ્મદ સામી ભારતીય બોલિંગની કરોડરજ્જૂ બની ગયો છે. તેમાં કોઇ શંકા નથી કે તે ભારતીય ક્રિકેટની શોધ છે, જે હું પહેલા પણ કહીં ચૂક્યો છું.
Comments
cheteshwar pujara zaheer khan captain sourav ganguly cricket ચેતેશ્વર પૂજારા ઝહીર ખાન સુકાની સૌરવ ગાંગુલી ભારત ક્રિકેટ ભારતીય
English summary
India need Cheteshwar Pujara and Zaheer Khan in their one-day line up, former captain Sourav Ganguly said today as India began their New Zealand tour with a defeat in Napier.