For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગને કારણે IPL દર્શકો 14 ટકા ઘટ્યા

|
Google Oneindia Gujarati News

ipl-pepsi-logo
નવી દિલ્હી, 25 મે : પ્રત્યેક દિવસ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સાથે જોડાયેલા સ્પોટ ફિક્સિંગ કૌભાંડને લગતા એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. આને લીધે રમતની ગરિમા ઘટી છે અને આઈપીએલના દર્શકોના રેટિંગ પર તેની અસર જોવા મળી છે. હજુ પણ મોટી સંખ્યા દર્શકો સ્ટેડિયમમાં આઈપીએલની મેચ જોવા જાય છે, પણ જ્યારથી આ કૌભાંડ બહાર આવ્યું છે ત્યાર પછી સાંજની મેચોના ટેલિવિઝન રેટિંગ્સ (ટીવીઆર)માં 14 ટકાનો ઘટાડો નોંધાયો છે.

18 મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટેના ટીએએમ વ્યૂઅરશિપ ડેટાના અનુસાર 16 મે પૂર્વે સાંજે રમાયેલી ચાર મેચનું સમગ્ર ભારતમાં સરેરાશ ટીવીઆર 3.65 હતું. સ્પોટ ફિક્સિંગના સમાચાર આવ્યા બાદ રમાયેલી ત્રણ સાંજની મેચનું ટીવીઆર 3.13 નોંધાયું હતું. આવી જ રીતે હિંદીભાષી બજારો (એચએસએમ)માં પણ સરેરાશ રેટિંગ 3.72 ટીવીઆરથી 14 ટકા ઘટીને 3.2 ટીવીઆર થઈ ગયું છે.

આ એક મોટો ઘટાડો છે, તેવા સમયે આઈપીએલની ઓફિશિયલ પ્રસારણકર્તા સેટ મેક્સના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ નીરજ વ્યાસે જણાવ્યું છે કે, ''જો તમે આ ટૂર્નામેન્ટના અત્યાર સુધીના એકંદર રેટિંગને ધ્યાનમાં લો તો તેમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નોંધાયો નથી.'' ઓલ ઈન્ડિયા અને એચએસએમ માર્કેટ માટેનો સરેરાશ ટીવીઆર અનુક્રમે 2.9 અને 3.0 રહ્યો છે. જોકે તેમાં બપોર પછીની મેચોના એવરેજ ટીવીઆરનો પણ સમાવેશ થાય છે, જે સામાન્ય સંજોગોમાં નીચો જ રહેતો હોય છે.

ટીવીઆરના ઘટાડાને લીધે સેટ મેક્સના કારોબાર પરની અસર વિશે વ્યાસે જણાવ્યું હતું કે ''અમારા કોઈ વિજ્ઞાપનદાતા અથવા એજન્સીઓએ હજુ સુધી કોઈ કેન્સલેશન કરાવ્યું નથી કે પીછેહટ કરી નથી. સ્ટેડિયમ પણ ભરચક રહે છે. મને કોઈ મોટી અસર થઈ હોય એવું લાગતું નથી.''

English summary
Spot Fixing Result : IPL viewers decreased by 14 percent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X