શ્રીસંત અને અજિત ચૌહાણે દાખલ કરી જામીન અરજી
રાજસ્થાન રોયલ્સ ટીમમાં શ્રીસંતની સાથે રમનાર અંકિત ચૌહાણે પણ આગામી બે જૂનના રોજ નિર્ધારીત પોતાના લગ્નનો હવાલો આપતાં કોર્ટમાંથી રાહત માંગણી કરી છે. બંને ખેલાડીઓએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અનુજ અગ્રવાલ સમક્ષ પોતાની જામીન અરજી દાખલ કરી ચૂક્યાં છે, જેમને આ કેસની સુનાવણી 28 મેના રોજ મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ લોકેશ કુમાર શર્મા સમક્ષ નિર્ધારિત કરી છે.
શ્રીસંતે પોતાની જામીન અરજીમાં કહ્યું છે કે 'મારા વિરૂદ્ધ કોઇ કેસ બન્યો નથી અને મને ખોટી રીતે ફસાવવામાં આવે છે.' શ્રીસંતના વકીલ વિશાલ ગોસાઇએ કહ્યું હતું કે તેમના વિરૂદ્ધ લગાવવામાં આવેલા દંડાત્મક જોગવાઇઓ મનગઢંત છે. શ્રીસંતે કોઇ પ્રકારનો દગો કર્યો નથી. આ દરમિયાન અંકિત ચૌહાણની પોલીસ કસ્ટડીને ચાર જૂન સુધી વધારી દેવામાં આવી છે, તેને પણ પોતાની જામીન અરજી દાખલ કરતાં કહ્યું છે કે તેના લગ્નની તારીખ નજીક આવી રહી છે તેની વિધિ ચાલી રહી છે.
અંકિત ચૌહાણના વકિલ કિશોર ગાયકવાડે કોર્ટને કહ્યું હતું કે અંકિત ચૌહાણના લગ્ન પહેલાંથી નક્કી હતાં અને તે 2 જૂનના રોજ નિર્ધારિત છે. માટે તેમના અસીલને જામીન આપવામાં આવે. રાજસ્થાન રોયલ્સ માટે રમનાર શ્રીસંત, અંકિત ચૌહાણ અને અન્ય એક સાથી અજીત ચંદેલાને આઇપીએલ મેચોમાં સ્પૉટ ફિક્સિંગ કરવાના આરોપમાં પોલીસે ઝડપી પાડ્યાં હતા.