શ્રીનિવાસને બચાવી હતી ધોનીની કેપ્ટન્સી!
નવી દિલ્હી, 26 માર્ચઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ એન. શ્રીનિવાસને મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સી બચાવવામાં પોતાની ભૂમિકાના સંકેત આપ્યા છે. શ્રીનિવાસનનું કહેવું છે કે બોર્ડનું સંવિધાન તેમને પસંદગીકર્તાઓના નિર્ણયોને સ્વિકૃતિ આપવાનો અધિકાર આપે છે, જેમાં સુકાનીની પસંદગીનો નિર્ણય પણ સામેલ છે. આસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યા બાદ ધોનીને સુકાનીપદેથી હટવવા અંગે આવેલા મીડિયા અહેવાલો અંગે શ્રીનિવાસનને પૂછવામાં આવ્યા અંગે કહ્યું, ' ટીમ પસંદગી મામલો પર ચર્ચા કરવી ઉચિત નથી. ભારતીય બીસીસીઆઇનું સંવિધાન અધ્યક્ષને રાષ્ટ્રીય ટીમની પસંદગીને સ્વીકૃતિ આપવાનો અધિકાર આપે છે.'
જબ તેમને બીજીવાર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, ' અધ્યક્ષનો નિર્ણય અંતિમ હોય છે?' તો તેમણે કહ્યું, ' આ બીસીસીઆઇનું સંવિધાન કહે છે.' ક્રિકેટના નાના પ્રારુપોને લઇને ધોનીને હટાવવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ અંગેનો નિર્ણય પસંદગીકારોનો નિર્ણય છે. બીજી તરફ રાહુલ દ્રવિડ સહિત ઘણા ક્રિકેટ વિશેષજ્ઞોએ ધોનીને નાના પ્રારુપોના સુકાનીપદેથી હટાવવાનું સમર્થન કર્યું હતું.

પૂર્વ પસંદગીકર્તા મોહિન્દર અમરનાથે એવો દાવો કર્યો હતો કે, શ્રીકાંતના નેતૃત્વવાળી ગત પસંદગી સમિતિએ સર્વસંમતિથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ખરાબ પ્રદર્શન કર્યા બાદ ધોનીને સુકાની પદેથી હટાવવાની મંજૂરી આપી દીધી હતી, પરંતુ કથિત રીતે શ્રીનિવાસને આ નિર્ણયને નામંજૂર કરી દીધો હતો. શ્રીનિવાસને કહ્યું કે, ધોની એક અનુભવી સુકાની છે. નોંધનીય છે કે ધોની શ્રીનિવાસનની આઇપીએલ ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સનું નેતૃત્વ પણ કરે છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
