એન શ્રીનિવાસન ફરીથી બનવા માંગે છે બીસીસીઆઇ ચીફ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ વિવાદમાં એન. શ્રીનિવાસનની મુશ્કેલીઓ ઓછી નથી. શ્રીનિવાસનના બધા પાંચ સૂચનોને સુપ્રીમ કોર્ટે નકારી કાઢ્યા બાદ શ્રીનિવાસને કોર્ટને લિખિત અંડરટેકિંગ આપ્યું કે જો તેમને બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવી છે તે આઇપીએલની બેઠકોથી દૂર રહેશે.
શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇ અધ્યક્ષ પદની ચૂંટણી લડવાની પરવાનગી માંગી. તમને જણાવી દઇએ કે શ્રીનિવાસનને જો ચૂંટણી લડવાની પરવાનગી મળે છે તો તેમનું બીસીસીઆઇ અધ્યક્ષ બનવાનું નક્કી છે કારણ કે તે આ પદ માટે એકમાત્ર ઉમેદવાર છે.

તો બીજી તરફ બીસીસીઆઇના વકીલ કપિલ સિબ્બલે ન્યાયાધીશ ટીએસ ઠાકુર અને ન્યાયાધીશ એફએમઆઇ કાલીફુલ્લાની ખંડપીઠને જણાવ્યું કે શ્રીનિવાસન આઇપીએલની ગવર્નિંગ કાઉંસિલ અને આઇપીલ સાથે જોડાયેલી બીસીસીઆઇની બેઠકોથી પોતાને દૂર રાખશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિહાર ક્રિકેટ સંઘ દ્વારા એક જનહિત યાચિકા દાખલ કરવામાં આવી છે, જેમાં બીસીસીઆઇ અધ્યક્ષ પદ પરથી શ્રીનિવાસનને સસ્પેંડ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે સીએસકેના માલિક તથા દેશમાં ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાના પ્રમુખ હોવાના નાતે શ્રીનિવાસન અને સીએસકેના હિતો ટકરાવવાના અણસાર છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
