T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપમાં કોહલી હાજરી કેમ જરૂરી? જાણો શું કહ્યું દિગ્ગજ ખેલાડીએ?
આઈપીએલ બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે મેદાને ઉતરશે. આ વર્લ્ડ કપમાં કોહલીની જરૂરતને લઈને સવાલ ઉઠી રહ્યા છે ત્યારે દિગ્ગજ ખેલાડીએ તેની તરફદારી કરી છે.
ગયા વર્ષે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ફાઇનલમાં પહોંચવામાં સૌથી મોટી ભૂમિકા વિરાટ કોહલીની હતી.

વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપ 2023માં ટીમ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ એશિયા કપમાં પણ ઘણી મહત્વની ઈનિંગ્સ રમી હતી.
IPL 2024 બાદ ભારતે આ વર્ષે જૂનમાં T-20 વર્લ્ડ કપ પણ રમવાનો છે. આ સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે શું વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ બનશે કે નહીં?
હવે પૂર્વ પસંદગીકાર એમએસકે પ્રસાદે આ અંગે પોતાનું મૌન તોડ્યું છે. એમએસકે પ્રસાદે કહ્યું છે કે વિરાટ કોહલી માટે ટી-20 વર્લ્ડ કપની ટીમમાં હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમએસકે પ્રસાદના મતે વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપમાં હોવો જોઈએ. પસંદગીકારો સમજી શકતા નથી કે તે IPL દ્વારા પોતાની ગુણવત્તા સાબિત કરશે. ખરાબ ફોર્મના કારણે તે ક્યારેય ટીમની બહાર રહ્યો નથી. તેમ છતાં તે છેલ્લા કેટલાક સમયથી ભારત માટે કેટલીક મેચો ચૂક્યો છે.
તે એક એવો ખેલાડી છે જેને માત્ર થોડી મેચોની જરૂર છે અને તે ફરીથી તેના જૂના ફોર્મમાં પાછો આવશે. મને ખાતરી છે કે વિરાટ કોહલી IPLની આ સિઝનમાં RCB માટે રન બનાવશે.












Click it and Unblock the Notifications
