T20 World Cup : ભારતની જીત બાદ પાકિસ્તાનના સેમીફાઈનલમાં પહોંચવાના કેટલા ચાન્સ? જાણો તમામ સમીકરણ!
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રોમાંચક મુકાબલામાં ભારતની જીત થઈ છે. ભારતની જીત સાથે જ ગ્રુપ-2ના તમામ સમીકરણો બદલાઈ ગયા છે. હવેન સમીકરણોમાં પાકિસ્તાનને ઘરની ટિકીટ કપાવવાનો વારો આવી શકે છે.
નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રોમાંચક મુકાબલામાં ભારતની જીત થઈ છે. ભારતની જીત સાથે જ ગ્રુપ-2ના તમામ સમીકરણો બદલાઈ ગયા છે. હવેન સમીકરણોમાં પાકિસ્તાનને ઘરની ટિકીટ કપાવવાનો વારો આવી શકે છે.
ભારતની જીતે સમીકરણો બદલ્યા પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલ બાંગ્લાદેશ સામેની ભારતની જીત બાદ ભારત ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયુ છે. ચારમાંથી 3 જીત સાથે ભારતના છ પોઈન્ટ થયા છે. હવે ભારતને એક મેચ રમવાની છે, જે જિમ્બાબ્વે સામે છે. જો ભારત જિમ્બાબ્વે સામેની મેચ જીતી જશે તો 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી જશે.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો, હાલ બાંગ્લાદેશ સામેની ભારતની જીત બાદ ભારત ગ્રુપમાં ટોપ પર પહોંચી ગયુ છે. ચારમાંથી 3 જીત સાથે ભારતના છ પોઈન્ટ થયા છે. હવે ભારતને એક મેચ રમવાની છે, જે જિમ્બાબ્વે સામે છે. જો ભારત જિમ્બાબ્વે સામેની મેચ જીતી જશે તો 8 પોઈન્ટ સાથે સેમિફાઈનલમાં પહોંચી જશે.
ભારત માટે ચિંતાની કોઈ સ્થિતી નથી
ભારતની નેટ રન-રેટ ઘણી સારી છે. આ સ્થિતીમાં હવે ભારત માટે ચિંતાની કોઈ સ્થિતી નથી. ભારતની આ જીતે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલી સાબિત થઈ છે. હવે પાકિસ્તાન માટે સેમિફાઈનલમાં પહોંચવાની ના માત્રની સંભાવનાઓ બચી છે.
પાકિસ્તાન લગભગ બહાર થઈ જશે
દક્ષિણ આફ્રિકાના ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ છે. હવે જો સાઉથ આફ્રિકા તેની બાકીની બે મેચમાંથી એક પણ જીતશે તો તે પણ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. ગ્રુપ-2માંથી ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમોનું સેમિફાઈનલમાં પહોંચવુ લગભગ નક્કી છે.