ટેસ્ટ ટીમના નવા કેપ્ટન વિશે બીસીસીઆઈ કંઈક આવુ વિચારી રહી છે!
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું.
નવી દિલ્હી : વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની સમાપ્તિ બાદ ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું હતું. ભારતીય ટીમ સિરીઝ 1-2થી હારી ગઈ અને આ સાથે આફ્રિકાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવાના તેના સપના પણ ચકનાચૂર થઈ ગયા છે. નવા સુકાનીની જાહેરાત ક્યારે થશે તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ નિવેદન આપતા કહ્યું છે કે હજુ સુધી તેના પર કોઈ ચર્ચા થઈ નથી.
એનડીટીવી દ્વારા બીસીસીઆઈના એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, કોહલીના સ્થાને હજુ સુધી કોઈ નામની ચર્ચા કરવામાં આવી નથી. હાલમાં રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન છે. અધિકારીએ વધુમાં કહ્યું કે BCCI પાસે એ નક્કી કરવા માટે પૂરતો સમય છે કે કોહલીના સ્થાને આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે કોણ જગ્યા લેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, વિરાટ કોહલીને બદલવા માટે હજુ સુધી કોઈ નામની ચર્ચા કરવામાં આવી નથી. રોહિત શર્મા હાલમાં ટેસ્ટ ટીમનો વાઇસ-કેપ્ટન છે. વિરાટ કોહલીને ટેસ્ટ કેપ્ટન તરીકે બદલવા કે કેમ તે નક્કી કરવામાં ઘણો સમય બાકી છે.
અધિકારીએ એમ પણ કહ્યું કે BCCI ટૂંક સમયમાં જ નક્કી કરશે કે, ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે વિરાટ કોહલીનું સ્થાન કોણ લેશે. ભારતીય પસંદગીકારો હજુ પણ વિકલ્પો શોધી રહ્યા છે. પસંદગી સમિતિ તેની અંતિમ ભલામણ યોગ્ય સમયે આપશે. અધિકારીએ જણાવ્યું હતું કે, બીસીસીઆઈના પસંદગીકારો થોડા સમયમાં આ અંગે નિર્ણય લેશે. પસંદગીકારો તમામ વિકલ્પો પર વિચાર કરશે. ત્યારબાદ પસંદગી સમિતિ અંતિમ ભલામણ કરશે.