tokyo paralympics : સુહાસ યતિરાજે જીત્યો સિલ્વર, ભારતના ખાતામાં 18મો મેડલ
નોઇડાના ડીએમ સુહાસ યથીરાજ પેરાલિમ્પિક્સમાં દેશ માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પુરૂષ સિંગલ્સ SL 4 ઇવેન્ટની ફાઇનલમાં તેમને ટોચના ક્રમાંકિત ફ્રાન્સના લુકાસ મઝુર સામે 21-15, 17-21, 15-21થી હારી ગયા હતા.
tokyo paralympics : નોઇડાના ડીએમ સુહાસ યથીરાજ પેરાલિમ્પિક્સમાં દેશ માટે સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યા છે. પુરૂષ સિંગલ્સ SL 4 ઇવેન્ટની ફાઇનલમાં તેમને ટોચના ક્રમાંકિત ફ્રાન્સના લુકાસ મઝુર સામે 21-15, 17-21, 15-21થી હારી ગયા હતા. યતિરાજે પ્રથમ સેટ જીતીને ગોલ્ડ તરફ સારી શરૂઆત કરી હતી, પરંતુ જે બાદ બે સેટમાં તેમની હાર થઇ હતી. IAS ઓફિસર હોવાના કારણે ટોક્યો પેરાલિમ્પિક્સમાં યતિરાજને પહેલાથી જ ઘણી લોકપ્રિયતા મળી હતી.

યતિરાજે પહેલો સેટ 21-15થી જીત્યો હતો, પરંતુ ટોચનો ક્રમાંકિત લુકાસ બીજી ગેમમાં કમબેક કરવામાં સફળ રહ્યો હતો અને પછી ધીમે ધીમે બીજી ગેમ 21-17થી જીતી લીધી હતી. આ સેટમાં સુહાસ એક સમયે 15-14થી આગળ હતા.
ત્રીજા સેટમાં પણ આવું જ થયું. કારણ કે, સુહાસે લુકાસ પર 4-1ની લીડ મેળવવા માટે નિર્ણાયક રમતમાં સારી શરૂઆત કરી હતી. જે બાદ સેટ 9-9 પર ટાઈ થયો હતો અને અત્યાર સુધીમાં મેચની 53 મિનિટ થઇ ગઇ હતી. ત્યારે યતિરાજે 11-10ની લીડ મેળવીને ગોલ્ડ તરફ આગળ વધવાનું શરૂ કર્યું, પરંતુ અહીંથી લુકાસે એ લેવલની રમત બતાવી અને 17-13ની લીડ મેળવી અને થોડા સમય બાદ યતિરાજે મેચ 15-21થી હારી ગયા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસ યથીરાજને સેવા અને રમતગમતનું શ્રેષ્ઠ જોડાણ ગણાવ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, નોઇડાના ડીએમે પોતાના શાનદાર રમત પ્રદર્શનથી સમગ્ર રાષ્ટ્રનું દિલ જીતી લીધું છે. આ સાથે મોદીએ સુહાસને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યની ઇવેન્ટ્સ માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, પેરાલિમ્પિક્સમાં ભારતનો આ 18મો મેડલ છે. અત્યાર સુધીમાં ભારતના ખેલાડીઓએ કુલ 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ જીત્યા છે.
નોઈડાના DM સુહાસ LYની સફર સંઘર્ષથી સફળતા સુધી
સુહાસ LY બાયોગ્રાફી : નોઇડાના ડીએમ છે સુહાસ એલવાય સુહાસ, જેમને વિકલાંગ છે, તેમને કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન ગૌતમ બુદ્ધ નગરની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે તે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી અને કોરોના વ્યવસ્થાપનમાં કેન્દ્ર સરકારની પ્રશંસાને પાત્ર બન્યા હતા. શારીરિક રીતે વિકલાંગ સુહાસ LY જમણા પગથી વિકલાંગ છે, પરંતુ તે ક્યારેય પોતાની નબળાઈ માટે રડ્યા નથી. સુહાસનો જન્મ કર્ણાટકના નાના શહેર શિગોમામાં થયો હતો. તેમને જન્મથી જ વિકલાંગ હતા.
સુહાસ શરૂઆતથી જ IAS બનવા માંગતા ન હતા. નાનપણથી જ તેને રમતગમતમાં ખૂબ રસ હતો. તેમના રસને તેમના પિતા અને પરિવાર તરફથી સંપૂર્ણ સપોર્ટ મળ્યો હતો. પગ પૂરેપૂરા ફિટ ન હતા, તેથી સમાજના ટોણા તેમને સાંભળતા રહ્યા, પણ પિતા અને પરિવાર તે ટોણા સામે ખડકની જેમ ઉભા રહ્યા અને સુહાસને ક્યારેય હતાશ થવા ન દીધા.
પિતાની નોકરીમાં બદલી વધુ થતી હતી, જે કારણે સુહાસનો અભ્યાસ વિવિધ શહેરમાં થયો હતો. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાંથી કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું છે.
UPSCમાં સફળતા
સુહાસને કોમ્પ્યુટરનું કામ ગમ્યું નહીં. જે કારણે વર્ષ 2005માં તેમના પિતાના અવસાન બાદ તેમણે યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. સુહાસે જણાવ્યું કે, પિતાનું તેમના જીવનમાં મહત્વનું સ્થાન છે. પિતાની ખોટ સુહાસ માટે મોટો ફટકો હતો. આ વચ્ચે સુહાસે નક્કી કર્યું કે, હવે તેને સિવિલ સર્વિસમાં જોડાવું છે. બધું પાછળ છોડીને તેમણે યુપીએસસીની તૈયારી કરી હતી. તેમની મહેનત અને નસીબે તેને સાથ આપ્યો. OneIndia સાથેની વાતચીત દરમિયાન સુહાસે એ પણ કહ્યું કે, આપણે આપણું કામ કરવું જોઈએ અને બાકીનું કામ નસીબ પર છોડી દેવું જોઈએ. જો તમે તમારા દિલથી કંઇક ઇચ્છો છો અને તેના માટે પ્રયત્ન કરો છો, તો આખું બ્રહ્માંડ તમને તે માટે મદદ કરશે. મારી સાથે એવું જ થયું. સુહાસ પ્રથમ પીટી, પછી મેઈન્સ અને પછી ઈન્ટરવ્યુમાં સફળતા મેળવ્યા બાદ વર્ષ 2007માં યુપી કેડરમાંથી IAS અધિકારી બન્યા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
