For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિરાટ કોહલી અર્જુન એવોર્ડ માટે નોમિનેટેડ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 30 એપ્રિલઃ ઓછા સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વભરના ક્રિકેટ ચાહકોનું ધ્યાન ખેંચનાર ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી વિરાટ કોહલીનુ નામ બીસીસીઆઇએ વર્ષ 2012ના અર્જુન એવોર્ડ માટે મોકલ્યું છે. આ ઉપરાંત મહાન ખેલાડી સુનિલ ગાવસ્કરનું નામ પણ ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર બીસીસીઆઇએ આ બન્ને ખેલાડીઓના નામ મોકલ્યા છે, જેના માટેના નામાંકનની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી.

virat-kohli
વિરાટ કોહલીએ આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી20, ટેસ્ટ અને વનડે દરેક ફોર્મેટમાં રન બનાવ્યા છે. વર્તમાનમાં તે આઇપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સુકાની પણ છે અને આઇપીએલમાં પણ વિરાટ કોહલી સારુ પ્રદર્શન કરી રહ્યો છે, તેમ જ તેની ટીમ દ્વારા પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

English summary
India batsman Virat Kohli has been nominated for the prestigious Arjuna Award by the Board of Control for Cricket in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X