નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
મુંબઇ, 27 મે : આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના માલિકો મુકેશ અને તેમના પત્ની નીતા અંબાણીએ રવિવારે તેમની ટીમની આઈપીએલ-6 ટૂર્નામેન્ટમાંની ફાઈનલ મેચમાં હાજર રહેવાનું ટાળ્યું હતું. મુંબઇ ઇન્ડિયન્સ ફાઇનલમાં રમી રહી હોય ત્યારે ટીમને પ્રોત્સાહિત કરવાનો બદલે બંને ન્યુ યોર્કમાં હતા. કારણ એ હતું કે રવિવાર તેમના માટે અતિ મહત્વનો હતો. રવિવારે એમનાં સંતાનોનાં ભણતરને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું હતું. આ દંપતી ન્યૂ યોર્કમાં એનાં પુત્ર અને પુત્રીની ગ્રેજ્યુએશન વિધિમાં હાજર રહ્યા હોઈ રવિવારે રાત્રે ઈડન ગાર્ડન્સમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની ફાઈનલથી વંચિત રહી ગયા હતા. મુંબઇ ઇન્ડિયન્સ ટીમે મેચ જીતીને પહેલી જ વાર આઈપીએલ ટ્રોફી જીતી છે.
માલિકોની ગેરહાજરીથી ટીમના વિજેતા ખેલાડીઓ નિરાશન ન થાય એટલા માટે અંબાણી દંપતી વહેલી ફ્લાઈટ પકડીને સોમવારે સ્વદેશ પાછા ફર્યા છે અને આજે સાંજે જ તેમનાં નિવાસસ્થાન એન્ટીલા ખાતે સમગ્ર ટીમ માટે જોરદાર પાર્ટીનું આયોજન કર્યું છે.
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નીતા અને મુકેશ અંબાણીએ IPL ફાઇનલમાં હાજર રહેવાનું કેમ ટાળ્યું?
નિતા અંબાણી અગાઉ આઈપીએલમાં મુંબઈ ટીમની લગભગ બધી મેચો વખતે હાજર રહ્યાં હતાં. રવિવારની મેચ વખતે તેમની ગેરહાજરી ખૂબ મહેસુસ કરાઈ હતી, કારણ કે સચીન તેંડુલકરે આઈપીએલને રામ-રામ કરી દીધા છે. સચીન તેની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે હાજર રહ્યો હતો અને ટીમે ચેન્નાઈ પર 23 રનથી જીત મેળવી લીધા બાદ સમગ્ર ઈડન ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં વિક્ટરી લેપ કરી હતી અને 67,000 જેટલા દર્શકોનું અભિવાદન સ્વીકાર્યું હતું.
ટીમે જીત મેળવ્યા બાદ મુકેશ અને નિતા અંબાણીએ ન્યૂ યોર્કમાંથી ફોન કર્યો હતો અને ડ્રેસિંગ રૂમમાં ટીમના પ્રત્યેક સભ્ય સાથે વાતચીત કરી હતી. અંબાણી દંપતી તેના પુત્ર આકાશ અને પુત્રી ઈશાના ગ્રેજ્યુએશનના સંબંધમાં ન્યૂ યોર્ક ગયા હતા. એ પ્રસંગ અને આઈપીએલની ફાઈનલ મેચ એક જ દિવસે આવી તે એમને માટે યોગાનુયોગ હતો. અંતે એમણે સંતાનોનાં ભણતરને પ્રાધાન્ય આપ્યું.