યુવી-રૈના માંદા પડ્યાં, ધોની ટેંશનમાં
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર : પ્રથમ ટ્વેંટી-20 વર્લ્ડ કપ વિજેતા ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ આ વખતે સતત વધતી જઈ રહી છે. ઇંગ્લેન્ડ સાથે મહત્વની મેચ પહેલાં ટીમ ઇન્ડિયાના બે સ્ટાર બેટ્સમેન બીમાર થઈ ગયા છે.

અફઘાનિસ્તાન સામેના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહના ગળામાં સોજો છે, તો સુરેશ રૈનાના પેટમાં ગરબડ પેદા થઈ છે. બીમારીથી પરેશાન બંને ખેલાડીઓ શુક્રવારે ટીમ સાથે પ્રેક્ટિસ સેશનમાં નહોતા આવ્યાં.
મળતી માહિતી પ્રમાણે યુવી-રૈના ટીમના મેડિકલ સ્ટાફના ઑબ્ઝર્વેશન હેઠળ છે. સૂત્રોએ જણાવ્યું કે બંનેની બીમારી અંગે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ટેંશનમાં છે. તેઓ ડ્રેસિંગ રૂમમાં ઘણાં પરેશાન દેખાયાં.
અફઘાનિસ્તાન જેવી નબળી ટીમ સામે માંડ વિજય હાસલ કરનાર ટીમ ઇન્ડિયા માટે આ સમાચાર મુશ્કેલી પેદા કરનાર છે. એક પછી એક મેચમાં વીરેન્દ્ર સહેવાગ તેમજ ગૌતમ ગંભીરની જોડીના પ્રદર્શને ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ ઓછી કરવાની જગ્યાએ વધારી છે. જો એવું જ ચાલ્યું તો ભારતીય ટીમ કદાચ ફાઇનલ સુધી પણ નહીં પહોંચી શકે. સાથે જ ગંભીર અને સહેવાગ ઉપરાંત ઝહીર ખાન પણ ટીમ ઇન્ડિયાની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે.
શ્રીલંકા વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર 4 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયાં, જ્યારે સહેવાગ 12 રન બનાવી પેવેલિયન પરત ફર્યાં. બંને વચ્ચે માત્ર 9 રનની ભાગીદારી થઈ હતી.
પાકિસ્તાન વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાં ગંભીર માત્ર 10 રન બનાવી આઉટ થયાં, તો સહેવાગે 28 રન બનાવ્યાં. અફઘાનિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચમાં ગંભીર 10 અને સહેવાગ 8 રન જ બનાવી શક્યા હતાં.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
