T20 ફોર્મેટમાં યુવાનોને તક મળવી જોઇએ: વસીમ અકરમ
અકરમે કહ્યું હતું કે હરભજને ઇગ્લેંડ સામેની મેચમાં ચાર વિકેટ ઝડપી ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું હતું. તેમછતાં હરભજનને મહત્વપૂર્ણમાં ટીમમાંથી બહાર કરી દિધો હતો. તેમણે ઝહીર ખાનના રમવા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા.
અકરમે ટીમની પસંદગીના મુદ્દે પણ વાંધો ઉઠાવતાં કહ્યું હતું કે બીસીસીઆઇએ ટી20માં યુવા બોલરોનો સમાવેશ કરવો જોઇએ. વરૂણ આરોન અને ઉમેશ યાદવનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો જ્યારે ટી20 ફોર્મેટ માટે યુવા બોલરો સૌથી યોગ્ય છે.
અકરમે ટીમ ઇન્ડિયાના બેસ્ટમેનોના પ્રદર્શન પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે ભારત પાસે વિશ્વની સૌથી મજબૂત બેટીંગ ઓર્ડર છે. આવા સમયે તમે આશા ન રાખી શકો કે ઝહીરખાન કે બાલાજી મેચ જીતાડશે. અકરમના અનુસાર ભારતે દક્ષિણ આફ્રિકા સામે વધુ 30 રન બનાવવાની જરૂર હતી. તેમને કહ્યું હતું કે ભારતના નસીબ સારા હતા કે તે આફ્રિકાને હરાવવામાં સફળ રહી.
અકરમના મત મુજબ ઝહીરખાન ટી20 ફોર્મેટ માટે ફીટ નથી. મે તેને બોલની પાછળ દોડતો જોયો નથી જ્યારે ટી20 માટે ખેલાડી સંપૂર્ણ રેતે ફિટ હોવો જોઇએ.