કાશ્મીરનું અનોખુ ગામ, પાકિસ્તાનથી અલગ કરે છે માત્ર નદીની એક ધારા
કાશ્મીર તેની ખૂબસૂરત વાદીઓ માટે દુનિયાભરમાં જાણીતું છે. આ વાદીઓમાં આવુ જ એક અનોખુ ગામ આવેલુ છે. આ ગામ તેની અનોખી ખાસિયત માટે જાણીતું છે.
કાશ્મીરનું તીતવાલ ગામ ચારેબાજુ હરિયાળીથી ઘેરાયેલું છે. અહીંથી પાકિસ્તાન સ્પષ્ટ દેખાય છે. કાશ્મીરના આ ગામમાં બહુ ઓછા પ્રવાસીઓ આવે છે અને એટલે જ તેને કાશ્મીરનું છુપાયેલું રત્ન પણ કહેવામાં આવે છે.

તીતવાલ ગામ કાશ્મીરનું સામાન્ય ગામ નથી. તેની અજોડ સુંદરતાને કારણે તે પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષે છે. અહીંની ખાસ વાત એ છે કે, આ ગામ કાશ્મીર એલઓસીનું એક ગામ છે, જે ભારત અને પાકિસ્તાનની સરહદ છે.
ભારત અને પાકિસ્તાનના સંબંધો કોઈનાથી છુપાયેલા નથી પરંતુ અનોખી વાત એ છે કે આ ગામમાં કાંટાળા તારની સરહદ નથી, બલ્કે અહીંથી વહેતી કિશનગંગા નદી બંને દેશો વચ્ચે સરહદનું કામ કરે છે. પાકિસ્તાનમાં આ નદીને નીલમ નદી કહેવામાં આવે છે.
આ ગામ ભારત અને પાકિસ્તાન સરહદથી એકદમ નજીક છે. આ ગામ એલઓસી પર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની એકદમ નજીક આવેલું છે. એટલા માટે કાશ્મીરના લોકો વારંવાર નદી પાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રહેવાસીઓ સાથે વાત કરે છે.
રાજકીય સીમાઓ પાર આ બંને ગામોના લોકો વચ્ચે કોઈ દુશ્મનાવટની લાગણી દેખાતી નથી. જ્યારે પણ કોઈ ભારતીય પ્રવાસી આ ગામમાં પીઓકેના રહેવાસીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરે ત્યારે તે ખૂબ જ ઉષ્મા અને આનંદથી જવાબ આપે છે.
આઝાદી બાદ ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે સાથે રહેતા પાડોશીઓ અલગ-અલગ દેશોના નાગરિક થઈ ગયા. જો કે તેમની વચ્ચેનો પરસ્પર પ્રેમ ઓછો ન થયો. 1931 માં કિશનગંગા નદી પર એક ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો અને તેને મીટઅપ પોઈન્ટ કહેવાય છે.
આ પુલ પરથી લોકો અવારનવાર બંને દેશો વચ્ચે મુસાફરી કરતા હતા. આ ફૂટબ્રિજનો ઉપયોગ 2018 સુધી કરવામાં આવ્યો પરંતુ તે પછી બંને દેશો વચ્ચે સફેદ સરહદની રેખા દોરવામાં આવી અને તેને પાર કરવાની કોઈને મંજૂરી નથી. હવે બંને દેશોમાં રહેતા આ પાડોશીઓ નદીના બંને કિનારે જ મળી શકે છે.
હાલમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે તીતવાલમાં શારદા દેવી મંદિરનું ઓનલાઈન ઉદ્ઘાટન કર્યું હતું. ખાસ વાત એ છે કે LoC પાસે સ્થિત આ મંદિર બનાવવા માટે જમીન એક મુસ્લિમ નાગરિક દ્વારા વર્ષ 2021માં આપવામાં આવી હતી. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં વિસ્તારના મુસ્લિમ નાગરિકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાશ્મીર પ્રવાસ પ્રેમીઓ માટે સ્વર્ગ છે પરંતુ દેશ માટે તે એક સંવેદનશીલ સ્થળ છે. તેથી તમે પરવાનગી વિના અહીં ક્યાંય પણ જઈ શકતા નથી, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં. તીતવાલ ગામમાં જવા માટે સુરક્ષા પરમિટ લેવી પડે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
