ભારતના સ્વર્ગ કાશ્મીરમાં જાવ, તો આ સરોવરો જોવાનું ના ચૂકતા!
હિમાલયના ખોળામાં વસેલું જમ્મુ અને કાશ્મીર પોતાની નેચરલ બ્યૂટી માટે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કાશ્મીર દુનિયાના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે. અત્રે શાનદાર પર્વતમાળા, ક્રિસ્ટલ સ્પષ્ટ ધારા, મંદિર, ગ્લેશિયર, અને ઉદ્યાન અત્રેની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે. અને તેના કારણે જ કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે.
- ગુજરાતના આ 21 બીચ જોશો તો ચોક્કસ કહેશો- ''હવે ગોવા જવાની જરૂર નથી''
- ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત
- ટૂરિસ્ટ બનતા પહેલા આ કોડ વર્ડ ચોક્કસ જાણી લેજો, નહીંતર છેતરાઇ જશો!
- આપના હનિમૂન કે ફેમિલી ટૂરને હૉટ બનાવશે આ હિલ સ્ટેશનો!
- જુઓ ભારતના ટોપ 35 હિલ સ્ટેશન અને Make Your Trip...
વાત અત્રેના પ્રવાસનની કરવામાં આવે તો અત્રે એવું ઘણું બધું છે જેના કારણે દેશના ખૂણે ખૂણેથી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓ પણ અત્રે ખેંચાઇ આવે છે. અહીં સુધી બોલીવુડના અનેક સુંદર દ્રશ્યોનું શૂટિંગ અત્રે કરવામાં આવે છે. અમે આજે આપને અમારા આ લેખ દ્વારા આ સ્વર્ગમાં આવેલા સુંદર અને મનમોહક સરોવરથી રૂબરૂ કરાવવા જઇ રહ્યા છીએ.
તો આવો જોઇએ તસવીરોમાં કાશ્મીરના ટોપ 5 સરોવર....

દાલ સરોવર
દાલ સરોવર અથવા ડલ સરોવર શ્રીનગર, કાશ્મીર ખાતે આવેલું પ્રખ્યાત સરોવર છે. ૧૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલા આ સરોવરની ત્રણ દિશાઓ પહાડીઓથી ઘેરાયેલી છે. જમ્મૂ-કશ્મીર રાજ્યમાં આવેલું બીજી સૌથી મોટું સરોવર છે. આમાં સ્ત્રોતો થી તો જળ આવે છે. સાથે જ કશ્મીર ઘાટીના અનેક સરોવરો આવીને આમાં જોડાય છે. ભારતના સૌથી સુંદર સરોવરમાં આનું નામ લેવાય છે.પાસે જ સ્થિત મુગલ વાટિકાથી દાલ સરોવરનું સૌંદર્ય અપ્રતિમ લાગે છે. પર્યટક જમ્મૂ-કશ્મીર આવે અને દાલ સરોવર જોવા ન જાય એવું ન થઈ શકે. દાલ સરોવરનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે અહીંના શિકારા કે હાઉસબોટ. સૈલાણી આ હાઉસબોટોમાં રહી સરોવરનો આનંદ ઉઠાવી શકે છે.

પાંગોંગ ત્સો
પાંગોંગ ત્સો હિમાલયમાં એક સરોવર છે જેની ઊંચાઇ લગભગ 4500 મીટર છે. આ 134 કીમી લાંબી છે અને ભારતના લદ્દાખથી તિબ્બત પહોંચે છે. જનવાદી ગણરાજ્ય ચીનમાં તળાવની બે તૃતિયાંશ છે. શીયાળામાં, ખારુ પાણી હોવા છતાં તળાવ સંપૂર્ણ જામી જાય છે. પાંગોંગ ત્સો એક પાંચ કલાકના ખાડીની યાત્રા છે. જેનો એક ખળબચળો અને ઉતારચડાવ વાળો રસ્તો છે.

શેષનાગ સરોવર
પહેલ ગામથી 27 કિમી દૂર અને 3658 મીટરની ઉંચાઇ પર સ્થિત શેષનાગ સરોવર, અમરનાથના પ્રમુખ આકર્ષણોમાંથી એક છે. આ સ્થાનનું નામ હિન્દુ ધર્મના સાત મો વાળા નાગરાજ, શેષનાગ પર રાખવામાં આવ્યું છે. અને તત્વ છે કે આ સરોવરની પાસે સાત પહાડો છે. પહેલગામથી શેષનાગ જવા માટે બે દિવસ લાગી જાય છે. શિયાળામાં આ સરોવર બરફથી ઢંકાઇ જાય છે. આ સરોવર કેંપિંગ માટે ઉત્તમ સ્થાન છે.

વૂલર સરોવર
હરમુક પર્વતના આધારમાં તથા સોપોર અને બાંદીપોર શહેરોની વચ્ચે સ્થિત વૂલર તળાવને એશિયાઇ મહાદ્વિપની સૌથી મોટી તાજા પાણીના સરોવર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. વૂલર સરોવર 200 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલ છે. તેની લંબાઇ 24 કિમી, પહોંળાઇ 10 કિમી છે. આ સરોવર સનસેટ પોઇંટ માટે પણ પ્રસિદ્ધ છે. આ સરોવરના પાણીનો મુખ્ય સ્ત્રોત ઝેલમ નદી છે.

તુલિયન સરોવર
આ સરોવરને તારસીર સરોવરના નામથી પણ ઓળખવામાં આવે છે. પહેલગામથી 15 કિમી. દૂર સ્થિત આ સરોવર સુધી જવા માટે પ્રવાસીઓ ટટ્ટૂની સવારી કરવાનું પસંદ કરે છે. આ સરોવર આખુ વર્ષ બરફ તરીકે જામેલી રહે છે.

સુંદર પરંતુ હોરર છે ભારતના આ ડેસ્ટિનેશન...
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
