ગુજરાતના આ બીચને સાંજ ઢળતા જ કેમ ખાલી કરાવી દેવામાં આવે છે!
અમે ઘણા લેખો થકી ભારતના વિવિધ રાજ્યોમાં આવેલા મહત્વના અને સુંદર રમણીય દરિયાકાંઠાથી આપને અવગત કરાવી રહ્યા છીએ. એ જ ક્રમને અમે આગળ વધારી રહ્યા છીએ. હરવા ફરવાના શોખીન દરેક ટ્રાવેલર માટે સમુદ્ર કિનારો હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. વ્યક્તિ ભલે કોઇ પણ હોય પરંતુ દરિયા કિનારાની સુંદરતા કોઇને પણ મંત્રમુગ્ધ કરી શકે છે. અમારા આ લેખમાં આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતના સુરત પાસે આવેલા ડૂમસ દરિયા કિનારાથી, જેની ગણના હોરર ડેસ્ટિનેશનમાં પણ થાય છે.
સુરતના દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય શહેરથી 16 કિમીના અંતર પર આવેલ ડુમસ પ્રવાસીઓની વચ્ચે પણ એક લોકપ્રિય સ્થળ છે અને પોતાની અનોખી કાળી રેત માટે પ્રસિદ્ધ છે. આ શાંત બીચની પાસે દરિયા ગણેશ મંદિર પણ આવેલું છે, જ્યાં આપે ચોક્કસ જવું જોઇએ.
અત્રે આવનારા પ્રવાસીઓને એક ખાસ ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સાંજ ઢળતા પહેલા આ બીચ પરથી જતા રહે. અત્રેની લોકમાન્યતાઓ એવી છે કે ઘણા વર્ષો પહેલા આ બીચ પાસે એક સ્મશાન હતું, અને આજે પણ રાત્રિના સમયે આ બીચ પર આત્માઓને કોઇને કોઇ સ્વરૂપે જોઇ શકાય છે. આ અંગેના ઘણા કિસ્સાઓ પર સ્થાનિકોના મોઢે સાંભળવામાં આવ્યા છે.
વાંચીને રૂવાડાં ઊભા કરી દેતો ગુજરાતનો આ દરિયાકિનારાની રૂબરૂમાં મુલાકાત કેવી હોરર હશે તેની કલ્પના કરી શકાય છે. એક વાર તો ગુજરાતના આ બીચની મુલાકાત ચોક્કસ લેવી પરંતુ ખાસ વિનંતી કે સાંજ ઢળતા પહેલા અહીંથી જતા રહેવું!
કેવી રીતે પહોંચશો:
સડક માર્ગે: અહીંથી સુરત નજીકનું શહેર છે, જે અમદાવાદથી 234 કિમી, વડોદરાથી 131, અને મુંબઇથી 297 દૂર છે. અહીં આવવા માટે સુરતથી સીધી બસો અને અન્ય વાહનો મળી રહે છે.
રેલવે માર્ગ: સુરતના રેલવે સ્ટેશનથી ડૂમસ માત્ર 22 કિમીના અંતરે આવેલું છે, જ્યાં જવા માટે આપે કોઇ પ્રાઇવેટ સાધન અથવા એસટી બસ મળી જશે.
હવાઇ માર્ગ: અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ સુરત આવેલું છે, ત્યારબાદ વડોદરા, અમદાવાદ અને મુંબઇના હવાઇમથકથી જોડાયેલ છે.
એકવાર તો ડૂમસના દરિયા કિનારાએ આવવાનો લાહ્વો લેવો જોઇએ. આવો જોઇએ ડૂમસના દરિયા કિનારાને તસવીરોમાં...

ડૂમસ બીચ
અમારા આ લેખમાં આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ ગુજરાતના સુરત પાસે આવેલા ડૂમસ દરિયા કિનારાથી, જેની ગણના હોરર ડેસ્ટિનેશનમાં પણ થાય છે.

કાળી રેત માટે પ્રસિદ્ધ છે
સુરતના દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય શહેરથી 16 કિમીના અંતર પર આવેલ ડુમસ પ્રવાસીઓની વચ્ચે પણ એક લોકપ્રિય સ્થળ છે અને પોતાની અનોખી કાળી રેત માટે પ્રસિદ્ધ છે.

ગણેશ મંદિર
આ શાંત બીચની પાસે દરિયા ગણેશ મંદિર પણ આવેલું છે, જ્યાં આપે ચોક્કસ જવું જોઇએ.

સાંજ ઢળતા પહેલા આ બીચ ખાલી કરાવવામાં આવે છે
અત્રે આવનારા પ્રવાસીઓને એક ખાસ ચેતવણી આપવામાં આવે છે કે તેઓ સાંજ ઢળતા પહેલા આ બીચ પરથી જતા રહે.

વર્ષો પહેલા આ બીચ પાસે એક સ્મશાન હતું
અત્રેની લોકમાન્યતાઓ એવી છે કે ઘણા વર્ષો પહેલા આ બીચ પાસે એક સ્મશાન હતું.

આત્માઓનો વાસ
આજે પણ રાત્રિના સમયે આ બીચ પર આત્માઓને કોઇને કોઇ સ્વરૂપે જોઇ શકાય છે. આ અંગેના ઘણા કિસ્સાઓ પર સ્થાનિકોના મોઢે સાંભળવામાં આવ્યા છે.

આ બીચની મુલાકાત ચોક્કસ લેવી
વાંચીને રૂવાડાં ઊભા કરી દેતો ગુજરાનો આ દરિયાકિનારાની રૂબરૂમાં મુલાકાત કેવી હોરર હશે તેની કલ્પના કરી શકાય છે. એક વાર તો ગુજરાતના આ બીચની મુલાકાત ચોક્કસ લેવી પરંતુ ખાસ વિનંતી કે સાંજ ઢળતા પહેલા અહીંથી જતા રહેવું!

નોર્થ ઇન્ડિયાના આ ટોપ 10 ડેસ્ટિનેશન
વેકેશન, ફન-એડવેંચર માટે બેસ્ટ છે નોર્થ ઇન્ડિયાના આ ટોપ 10 ડેસ્ટિનેશન, વધુ જાણવા માટે ક્લિક કરો...












Click it and Unblock the Notifications
