અદભુત આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે હિમાચલ પ્રદેશના આ ટોપ 4 મંદિરો
ભારતના ઉત્તરમાં સ્થિત હિમાચલ પ્રદેશ એ રાજ્ય છે જે પોતાની, પ્રકૃતિ, શાંત વાતાવરણ અને સુંદરતાના કારણે દર વર્ષે દેશ-દુનિયાના લાખો પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહે છે. આપને જણાવી દઇએ કે પ્રવાસીઓની વધતી સંખ્યાના પગલે વર્તમાનમાં અત્રે પ્રવાસન ઉદ્યોગ ઝડપથી વધી રહ્યું છે.
આજે રાજ્યમાં ઘણા એવા સુંદર જિલ્લાઓ છે જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ફરવા માટે આવે છે. હિમાચલ પ્રદેશમાં આવેલા આ તમામ જિલ્લાઓની ખાસ વાત છે કે અત્રે તમામ માટે કંઇને કઇ છે. અત્રે આપ ધાર્મિક દ્રષ્ટિએ આવો કે પછી એડવેંચર ટ્રીપ તરીકે હિમાચલ પાસે આપને ખુશ કરવા માટે બધું જ છે.

બૈજનાથ મંદિર
ઇ.સ. 1204માં બે ક્ષેત્રીય વ્યાપારીઓ અહુકા અને મન્યુકા દ્વારા સ્થાપિત બૈજનાથ મંદિર પાલમપુરનું એક પ્રમુખ આકર્ષણ છે અને આ શહેરથી 16 કિમી દૂર સ્થિત છે. હિન્દુ દેવતા શિવને સમર્પિત આ મંદિરની સ્થાપના બાદથી સતત તેનું નિર્માણ થતું રહ્યું છે. મંદિર બહાર આવેલ શિલાલેખ દ્વારા મંદિર નિર્માણ પહેલા શિવના અસ્તિત્વના સંકેત મળે છે. મંદિરની વર્તમાન વાસ્તુકળા નગર શૈલીનું ઉદાહરણ છે, જે મધ્યયુગીન ઉત્તર ભારતીય મંદિર વાસ્તુકળાના રૂપમાં લોકપ્રીય છે. અત્રે શિવલિંગનું સ્વયંભૂ રૂપ છે જેની ઉપર એક શિખર છે. આ મંદિરની એક વાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

જ્વાળામુખી મંદિરને જ્વાળાજીના રૂપમમાં પણ ઓળખવામાં આવે છે, જે કાંગડા ઘાટીના દક્ષિણમાં 30 કિમીના અંતર પર સ્થિત છે. આ મંદિર હિન્દુ દેવી જ્વાળામુખીને સમર્પિત છે. જેમના મુખથી અગ્નિનો પ્રવાહ થાય છે. આ સ્થળનું એક અન્ય આકર્ષણ તાંબાનો પાઇપ છે જેમાંથી પ્રાકૃતિક ગેસનો પ્રવાહ થાય છે. આ મંદિરમાં અલગ અલગ 6 અગ્નિની જ્વાળાઓ છે જે મહાકાળી ઉનપૂરના, ચંડી, હિંગળાજ, વિંધ્ય વાસની, મહાલક્ષ્મી સરસ્વતી, અંબિકા અને અંજી દેવીને સમર્પિત છે.
ચિંતપૂર્ણી મંદિર
ચિંતપૂર્ણી મંદિર, ઉનામાં સમુદ્ર સ્તરથી ઉપર 950 મીટરની ઉચાઇ પર સ્થિત છે. આ એક મહત્વપૂર્ણ અને પવિત્ર શક્તિપીઠ છે જે હિંદુ ધર્મની દેવીને સમર્પિત છે. મંદિરથી હિલ સ્ટેશન ભારવેનનું અંતર માત્ર 3 કિમી છે. આ મંદિરને સારસ્વત પંડિત માઇ દાસ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. મંદિરનું મુખ્ય આકર્ષણ એક ગર્ભ ગ્રહ અને ગર્ભગ્રહ અંતરતમ છે જ્યાં દેવીની પ્રતિમા સ્થાપિત છે. આ પત્થરના મંદિરમાં ઉત્તર દિશમાં ઘણા પ્રવેશ દ્વાર છે. અત્રે આવીને શ્રદ્ધાળુઓ ઘણા દેવી-દેવતાઓની પ્રતિમાના દર્શન કરી શકે છે. અત્રે સ્થિત દેવીની મૂર્તિને પિંડીના નામથી ઓળખવામાં આવે છે.

આ મંદિર મનાલીમાં સૌથી જાણીતું છે. આ મંદિર એક ગુફામાં બનેલું છે જે દેવી હિડિમ્બાને સમર્પિત છે. દેવી હિડિમ્બા, હિડમ્બાની બહેન હતી. આ મંદિર હિમાલયની તળેટી પર સ્થિત છે જેના કારણે આસપાસ હરિયાળી છે અને સિડારના જંગલ છે. આ મંદિરનું નિર્માણ ઇ.સ.1553માં એક પત્થરમાં કરવામાં આવ્યું હતું. પત્થરને એ પ્રકારે કાપવામાં આવ્યો કે તેનો આકાર ગુફા જેવો થઇ ગયો. આ ગુફામાં જઇને શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે, અને વિશેષ પૂજાનું આયોજન કરી શકે છે.

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
