ગુજરાતના આ ગ્રામજનો સામે ઝૂક્યા હતાં બ્રિટિશરો
ખેડાને હિડિમ્બા વન પણ કહેવામાં આવતું હતું કારણ કે એવુ માનવામાં આવતુ હતુ કે હિડિમ્બા સાથે લગ્ન કરવા માટે મહાભારતના ભીમસેને આ સ્થળે એક રાક્ષસને માર્યો હતો. ખેડા પર પહેલા બાબી રાજવંશનું શાસન હતું પરંતુ બાદમાં તેના પર મરાઠાઓએ અને ત્યારબાદ બ્રિટિશોએ અધિકાર જમાવી લીધો. ખેડાનું ઐતિહાસિક મહત્વ પણ છે, કારણ કે ગાંધીજીએ અહીં જ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. ખેડામાં દૂકાળ પડ્યો હતો અને બ્રિટિશ સરકારે ગ્રામજનોનો ટેક્સ માફ કર્યો નહોતો.
આવી સ્થિતિમાં ગાંધીજીએ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો, જેના કારણે અંતતઃ બ્રિટિશ સરકારે ગ્રામજનોના દબાણમાં આવીને ઝૂકવુ પડ્યું અને બે વર્ષ માટે ટેક્સ હટાવી દેવામાં આવ્યો અને વ્યાજની રાશિ પર ઓછી કરવામાં આવી. હનુમાન ટેકરામાં સ્થિત ખેડિયા હનુમાન મંદિર, શ્રી મહાલક્ષ્મી મંદિર, મનકામેશ્વર મંદિર, હનુમાનજી મંદિર, સોમનાથ મંદિર, રામજી મંદિર, ભદ્રકાલી મંદિર, મેલડી માતાજી મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, ડાકોરનું રણછોડ મંદિર, ખેડા પાસે સ્થિત ખોડિયાળ મંદિર, નડિયાદનું સંતરામ મંદિર ખેડા પાસે સ્થિત કેટલાક ધાર્મિક પ્રવાસન સ્થળો છે.
ખેડા 150 વર્ષ જૂના ભીત ચિત્રો માટે પણ પ્રસિદ્ધ છે, જે કેટલાક મંદિરોની દિવાલો પર તથા કેટલાક ઘરોની દિવાલો પર પણ જોવા મળે છે. આ ભીત્ત ચિત્રોનો વિષય ધાર્મિક અને ધર્મ નિર્પેક્ષ બન્ને છે, જેમાં મનુષ્યો અને જાનવરોના ચિત્ર સામેલ કરવામાં આવ્યા છે.

ગોમતી ઝીલ
ખેડામાં આવેલી ગોમતી ઝીલ

ગોમતી ઝીલ
ખેડામા આવેલી ગોમતી ઝીલ

બિલોર્દા હરિઓમ આશ્રમ
ખેડામાં આવેલું બિલોર્દા હરિઓમ આશ્રમ

રણછોડરાય ડાકોર મંદિર
ખેડાનું રણછોડરાય ડાકોર મંદિર

રણછોડરાય ડાકોર મંદિર
ખેડાનું રણછોડરાય ડાકોર મંદિર












Click it and Unblock the Notifications
