બુદ્ધિસ્ટો માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે આ શહેર
વિશ્વભરમાં બુદ્ધો માટે એક મહત્વપૂર્ણ સ્થળ, નાગાર્જુન, દક્ષિણ ભારતીય રાજ્ય તેલંગણામાં સ્થિત એક નાનું શહેર છે. આ તીર્થ સ્થળ હોવા ઉપરાંત એક લોકપ્રીય પ્રવાસન સ્થળ પણ છે. પ્રાચીન સમયમાં આ શહેરને વિજયપુરી તરીકે સંબોધવામાં આવતું હતું, પરંતુ બાદમાં શહેરનું નામ ભગવાન બુદ્ધના જ એક પરમ ભક્ત નાગાર્જુનના નામ પરથી રાખવામાં આવ્યું, તે ભારતમાં 60 વર્ષ સુધી લગભગ પહેલી શતાબ્દી ઇ.ના અંત સુધી ભારતમાં બુદ્ધ સંઘના આગેવાન હતા. જેનાથી સ્પષ્ટ રીતે જાણવા મળે છેકે, દક્ષિણ ભારત પ્રાચીન સહસ્ત્રાબ્દીની શરૂઆત દરમિયાન એક મહત્વપૂર્ણ બુદ્ધ કેન્દ્ર હતું.
આ સ્થળે ખોદકામ દરમિયાન બુદ્ધ ધર્મના વિકાસ સંબંધિત અનેક પુરાવાઓ મળ્યા છે. જે પૂરાવા મોટાભાગે સ્થાપત્ય અને સ્તૂપોમાં છે. જે ભગવાન બુદ્ધના જીવ અને તેમની શિક્ષાઓના સંબંધમાં છે. આ પૂરાવાના કારણે, નાગાર્જુન પુરાતાત્વિક દૃષ્ટિકોણથી પણ એક મહત્વપૂર્ણ સ્થળ બની ગયું છે.
નાગાર્જુનમાં પ્રસિદ્ધ નાગાર્જુન સાગર ડેમ, ઇથિપોથલ ફોલ્સ અને નાગાર્જુનકોંડા સહિત કેટલાક સુંદર રુચિકર સ્થળ તરફ કોઇપણ પ્રવાસી આકર્ષિત થઇ શકે છે. શહેર આંધ્ર પ્રદેશની રાજધાની હૈદરાબાદથી 150 કિ.મી દૂર સ્થિત છે. અહીં હૈદરાબાદથી જમીન માર્ગ દ્વારા સહેલાયથી પહોંચી શકાય છે. અનેક બસ સેવા સંચાલક રાજ્યના પ્રમુખ શહેરો અને ગામોતી નાગાર્જુન માટે બસો ચલાવે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આ બુદ્ધ નગરને.

નાગાર્જુન સાગર ડેમ
નાગાર્જુનમાં આવેલો સાગર ડેમ

નાગાર્જુન સાગર ડેમ
નાગાર્જુનમાં આવેલો સાગર ડેમ

નાગાર્જુન સાગર ડેમ
નાગાર્જુનમાં આવેલો સાગર ડેમ

એથિપોથલા ઝરણું
નાગાર્જુનમાં આવેલું એથિપોથલા ઝરણું

એથિપોથલા ઝરણું
નાગાર્જુનમાં આવેલું એથિપોથલા ઝરણું

નાગાર્જુનકોંડા
નાગાર્જુનમાં આવેલું નાગાર્જુનકોંડા અને બુદ્ધની પ્રતિમા












Click it and Unblock the Notifications
