રાજસ્થાનનું પુષ્કર, જે છે બ્રહ્માનું સ્થાન
પુષ્કર, ભારતનાં સૌથી પવિત્ર શહેરોમાનું એક છે. આ અજમેર શહેરથી 14 કિ.મી દૂર છે. આ પવિત્ર શહેરનો સંદર્ભ 4 સદીના ચીની યાત્રી ફાહિયાનના યાત્રા વૃત્તાંતથી અને ભારત પર મોગલો દ્વારા કરવામાં આવેલા હુમલાની અવધિ દરમિયાન લખવામાં આવેલા લેખોથી જાણવા મળે છે. એક પ્રખ્યાત ભારતીય કવિ કાલિદાસે પોતાની પ્રસિદ્ધ રચના અભિજ્ઞાન શાકુંતલમમાં પુષ્કરને ઘણું મહત્વ આપ્યું છે. આ નાના શેહરમાં 400થી વધારે મંદિરો અને 52 ઘાટ છે. પુષ્કર સ્થિત બ્રહ્મા મંદિર, ભારતમાં ભગવાન બ્રહ્માને સમર્પિત કેટલાક મંદિરોમાનું એક છે. પુષ્કરના અન્ય પ્રસિદ્ધ મંદિરોમાં વારહ મંદિર, અપ્ટેશ્વર મંદિર અને સાવિત્રી મંદિર છે.
આ સ્થળ, પવિત્ર પુ્ષ્કર ઝીલ વધુ એક ધાર્મિક આકર્ષણ છે, જેની ઉત્પત્તિની પાછળ એક પૌરાણિક કથા છે. પૌરાણિક કથા અનુસાર, તે ભગવાન બ્રહ્માએ દાનવ વજ્રનાભનો કમળના ફૂલથી વધ કર્યો હતો. વધ કર્યા બાદ કમળના ફૂલની ત્રણ પાંખડીઓ પડી ગઇ, જેમાની એક પુષ્કરમાં પડી અને આ સ્થળ પવિત્ર ઝીલના રૂપમાં સામે આવ્યું. પુષ્કર ઝીલમાં લાખો લોક કાર્તિક પૂર્ણિમાએ ડુબકી લગાવવા આવે છે. એવી સામાન્ય ધારણા છેકે અહી ડુબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુષ્કર શહેર, અહી લાગતા મેળાઓના કારણે પણ લોકપ્રીય છે. વર્ષના નવેમ્બર મહિનામાં આ શહેરમાં વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળો યોજાય છે. જે વિશ્વના સૌથી મોટા મવેશિયો-પશુઓનું બજાર છે. મવેશી અથવા પશુઓના વ્યાપાર ઉપરાંત આ મેળામાં રાજસ્થાની પરંપરા અને સંસ્કૃતિના વિભિન્ન પહેલુંઓને પ્રદર્શિત કરતી વસ્તુઓને પણ ખરીદી કે વેંચી શકાય છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ પુષ્કરને.
પુષ્કર
રાજસ્થાનના પુષ્કરની એક તસવીર
પુષ્કર બજાર
પુષ્કરના બજારમાં ખરીદી કરી રહેલી મહિલા
સજાવેલું ઉંટ
પુષ્કરના બજારમાં સજાવવામાં આવેલું ઉંટ
પુષ્કર ઝીલ
પુષ્કરમાં આવેલી ઝીલ, ગોધુલી બેલા
પુષ્કરમાં મોનસૂન
પુષ્કરના મોનસૂનની એક તસવીર
પુષ્કર પશુ મેળો
પુષ્કરમાં દર વર્ષે યોજાતો પશુ મેળો
બ્રહ્મ મંદિર
પુષ્કરમાં આવેલું બ્રહ્મ મંદિર
તિર્થ રાજ
પુષ્કરમાં આવેલા પુષ્કર લેકને તિર્થ રાજ પણ કહેવામાં આવે છે
તિર્થ રાજ
પુષ્કરમાં આવેલા પુષ્કર લેકને તિર્થ રાજ પણ કહેવામાં આવે છે
તિર્થ રાજ
પુષ્કરમાં આવેલા પુષ્કર લેકને તિર્થ રાજ પણ કહેવામાં આવે છે
તિર્થ રાજ
પુષ્કરમાં આવેલા પુષ્કર લેકને તિર્થ રાજ પણ કહેવામાં આવે છે
તિર્થ રાજ
પુષ્કરમાં આવેલા પુષ્કર લેકને તિર્થ રાજ પણ કહેવામાં આવે છે