સંપત્તિનું શહેર કહેવાય છે છત્તીસગઢનું સીરપુર
સિરપુર અથવા તો સીરપુરને સંપત્તિનું શહેર પણ કહેવામાં આવે છે. આ એક પ્રાચિન શહેર છે, જે પોતાના પુરાતાત્વિક સ્મારકો, સમૃદ્ધ પરંપરા અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે. આ શહેર, રાયપુરથી 80 કિમી દૂર સ્થિત છે, જે મહાનદીના તટ પર છત્તીસગઢ રાજ્યમાં આવેલું છે.
સીરપુર સ્થિત સ્મારક અહીંના પ્રવાસન સ્થળોને નિહાળવા લાયક બનાવે છે. અહીંના પ્રમુખ પ્રવાસન આકર્ષણોમાંનું એક લક્ષ્મણ મંદિર છે, જે આખા ભારતના મંદિરોમાં વાસ્તુકળાની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે. આ શહેરના અન્ય આકર્ષણોમાં આનંદ પ્રભુ કુડી બિહાર, તુરતુરિયા, બુદ્ધ બિહાર, રામ મંદિર, બરનાવાપારા વન્યજીવ અભ્યારણ્ય અને ગંધેશ્વર મંદિર પણ સામેલ છે.
સીરપુર
એક
પ્રાચિન
શહેર
છે,
જેની
રચના
5મી
સદીની
આસપાસ
કરવામાં
આવી
હતી.
6ઠ્ઠી
સદીથી
10મી
સદી
સુધી
તે
બૌદ્ધ
ધર્મનું
પ્રમુખ
તીર્થ
સ્થળ
હતું.
જો
કે,
12મી
સદીમાં
આવેલા
વિનાશકારી
ભૂકંપમાં
આ
શહેર
બરબાદ
થઇ
ગયું
અને
તેની
તમામ
જીંવતતા
ધ્વસ્ત
થઇ
ગઇ.
સીરપુર,
રાજ્ય
અને
દેશના
અન્ય
ભાગો
સાથે
સારી
રીતે
જોડાયેલુંછે.
અહીં
નજીકમાં
હવાઇ
મથક,
રાયપુરમાં
સ્થિત
છે.
તો
ચાલો
તસવીરો
થકી
નીહાળીએ
સીરપુરને.
ગંધેશ્વર મંદિર
સીરપુરના ગંધેશ્વર મંદિરમાં મૂર્તિઓ
મંદિરમાં અવશેષો
ગંધેશ્વર મંદિરમાં રહેલા અવશેષો
લક્ષ્મણ મંદિર
સીરપુરના લક્ષ્મણ મંદિરનું નજીકનું દ્રશ્ય
સુંદર દ્રશ્ય
સીરપુરના લક્ષ્મણ મંદિરનું સુંદર દ્રશ્ય
લક્ષ્મણ મંદિરની અન્ય એક તસવીર
સીરપુરમાં આવેલા લક્ષ્મણ મંદિરની અન્ય એક તસવીર