ક્યારેક લાખો લોકોથી ધમધમતા હતા આ શહેરો, આજે ખંડેર હાલતમાં સુમસામ પડ્યા છે!

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં ઘણા એવા સુંદર નગરો અને શહેરો છે જ્યાં એક પણ વ્યક્તિ રહેતો નથી.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ દુનિયામાં ઘણા એવા સુંદર નગરો અને શહેરો છે જ્યાં એક પણ વ્યક્તિ રહેતો નથી. તેમના સ્થાન અને પ્રાકૃતિક સૌંદર્ય ઉપરાંત અહીં એવી ઘણી વસ્તુઓ છે જે તમને આશ્ચર્યમાં મુકશે કે આ વિસ્તારો ઉજ્જડ કેમ છે?

સોનુ ખતમ થતા શહેર પણ ઉજડી ગયુ

સોનુ ખતમ થતા શહેર પણ ઉજડી ગયુ

ઑસ્ટ્રેલિયાની હદમાં સ્થિત અર્લાટુંગા અગાઉ અધિકૃત શહેર તરીકે જાણીતું હતું. 20,000 વર્ષ જૂનું શહેર આજે ભૂતિયા સ્થળ બની ગયું છે. 1887 માં યુરોપના લોકોએ સોનાની ખાણની શોધમાં આ શહેર બનાવ્યુ હતું. ધીરે ધીરે આ શહેર પણ ઈતિહાસના પાના એટલે કે ભૂતકાળમાં ખોવાઈ ગયું.

સ્પેનિશ ગૃહયુદ્ધમાં આ જગ્યા બરબાદ થઈ

સ્પેનિશ ગૃહયુદ્ધમાં આ જગ્યા બરબાદ થઈ

સ્પેનિશ ગૃહયુદ્ધ દરમિયાન રિપબ્લિકન અને ફાશીવાદી દળો વચ્ચે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 1937 વચ્ચે આ વિસ્તાર એક અઠવાડિયા સુધી ઘેરાબંધીનું કેન્દ્ર હતો. 1939માં બનેલું આ ગામ પણ યુદ્ધના કારણે બરબાદ થઈ ગયું હતું. આજે સ્પેનના પ્રવાસનમાં આ વિસ્તારનું મહત્ત્વનું યોગદાન છે.

સોનાની ચમક ઘટના શહેર પણ ઉજ્જડ થયુ

સોનાની ચમક ઘટના શહેર પણ ઉજ્જડ થયુ

1870 ના દાયકાના અંતમાં અમેરિકાના બોડી વિસ્તારની વસ્તી 10,000 હતી. અહીં સોનાની ખાણ હતી. આ વિસ્તાર પણ ખૂબ જ સમૃદ્ધ અને સમૃદ્ધિથી ભરેલો હતો. પરંતુ 20મી સદીની શરૂઆતમાં તેની ચમક ફીક્કી પડી. 1920માં તેની વસ્તી ઘટીને માત્ર 120 થઈ ગઈ. આ નિર્જન શહેરની સારી રીતે સચવાયેલી ઇમારતો આજે તેને વાઇલ્ડ વેસ્ટ ટુર માટે યાદગાર સ્ટોપ બનાવે છે.

ધીરે ધીરે શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બદલાઈ ગયુ

ધીરે ધીરે શહેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં બદલાઈ ગયુ

એક સમયે દુનિયાભરની સુવિધાઓથી ધમધમતા આ વિસ્તારોને ખબર નહીં કોની નજર લાગી ગઈ, હવે અહીં પક્ષીઓ સિવાય બીજું કોઈ જીવ જોઈ શકાતું નથી. સમૃદ્ધ વસ્તી હજુ પણ ગ્રાન્ડ-બાસમથી દૂર રહે છે. આ વિસ્તારમાં ઈમારતો કેટલાક દાયકાઓથી ખાલી છે. આ રિસોર્ટ શહેર હવે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 15મી સદી સુધી તે ખૂબ જ સમૃદ્ધ અને સંપૂર્ણ વસ્તી ધરાવતો વિસ્તાર હતો.

લોકોને જોખમ હોવાથી આ વિસ્તારને ખાલી કરી દેવાયો

લોકોને જોખમ હોવાથી આ વિસ્તારને ખાલી કરી દેવાયો

ધ સનના અહેવાલ અનુસાર, લોકોના જીવને જોખમ હોવાને કારણે ઓસ્ટ્રેલિયાના વિટનૂમ પિલબારા વિસ્તારને 31 ઓગસ્ટે ખાલી કરાવવામાં આવ્યો હતો. હવે અહીં કોઈ રહેતું નથી. આ જગ્યા એટલી ઝેરી બની ગઈ હતી. એવું પણ કહેવાતું હતું કે અહીં શ્વાસ લેવાથી કોઈનું મૃત્યુ થઈ શકે છે. હવે આ નગરને નકશામાંથી હટાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અહીં પ્રથમ વસવાડ 1943 માં થયો હતો. ખાણ વિસ્તારને કારણે અહીં ઝેરી ગેસ લીક ​​થયો હતો. જેના કારણે ધીરે ધીરે લોકોના મોત થવા લાગ્યા. આ ખાણ 1966માં અનેક મૃત્યુ બાદ બંધ કરવામાં આવી હતી.

રેતીમાં દટાયેલુ પડ્યુ છે શહેર

રેતીમાં દટાયેલુ પડ્યુ છે શહેર

નામિબિયાના આ વિસ્તારમાં ઘણી ઇમારતો રેતીમાં અડધી ડૂબી ગઈ છે. કોલમન્સકોપના ખંડેર દર્શાવે છે કે આ વિસ્તાર એક સમયે ખૂબ જ દુર્લભ હતો. તે રણની મધ્યમાં ગૂંજતું શહેર હતું. જર્મનીના લોકોનો રસ ઘટતા અને હીરાની ખાણનું કામ 1956માં પૂર્ણ થતાં આ વિસ્તાર વેરાન થવાનો શરૂ થયો. અહીં રેતીની સુંદરતા જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે.

પાણીની સમસ્યાએ શહેર ઉજાડ્યુ

પાણીની સમસ્યાએ શહેર ઉજાડ્યુ

ઇટાલીના દક્ષિણમાં સ્થિત ક્રેકોનું અદભૂત સ્થાપત્ય તેને વિશ્વના સૌથી વધુ મુલાકાત લેવાયેલા નિર્જન શહેરોમાંનું એક બનાવે છે. 1960ના દાયકામાં ગટરની સમસ્યા અને પાણીની અછત પછી ભૂસ્ખલનની ઘટનાઓ બાદ લોકોએ વિસ્તાર છોડવાનું શરૂ કર્યું અને 1980માં આ વિસ્તાર સંપૂર્ણપણે નિર્જન બની ગયો.

આ જગ્યા બીજા વિશ્વયુદ્ધમાં વપરાઈ હતી

આ જગ્યા બીજા વિશ્વયુદ્ધમાં વપરાઈ હતી

જાપાનમાં નાગાસાકીના કિનારે આવેલા આ ટાપુ પરની ખાણમાંથી 1887 અને 1974 ની વચ્ચે ખાણકામ હાથ ધરવામાં આવ્યું હતું. કુદરતી સંપત્તિનો અંત આવતાં આ સુંદર વિસ્તાર વેરાન બની ગયો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તાર એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ બની ગયો છે. હાશિમાનો ભૂતકાળ એવો પણ છે કે આ વિસ્તારનો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કેમ્પ તરીકે ઉપયોગ થતો હતો. જ્યાં 1000 થી વધુ કોરિયન અને ચીની નાગરિકો અને યુદ્ધ કેદીઓ માર્યા ગયા હતા.

બીજા વિશ્વમાં આ શહેરના તમામ લોકોની હત્યા કરી દેવાઈ

બીજા વિશ્વમાં આ શહેરના તમામ લોકોની હત્યા કરી દેવાઈ

આ વિસ્તારમાં એક સમયે માછીમારી કરવામાં આવતી હતી. બીજા વિશ્વયુદ્ધની ભયાનકતાનો ભોગ બનેલા આ શહેરમાં 10 જૂન, 1944ના રોજ હત્યાકાંડ થયો હતો. તે દરમિયાન અહીંની મોટાભાગની વસ્તીની હત્યા કરવામાં આવી હતી. 1999 પછી તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું હતું.

આ જગ્યા હવે પુરાતત્વવિદોનું ઘર છે

આ જગ્યા હવે પુરાતત્વવિદોનું ઘર છે

આ વિસ્તાર હજુ પણ ઈંગ્લેન્ડનું પ્રખ્યાત નિર્જન અને મધ્યયુગીન ગામ છે. આ દુનિયા એક સમયે વસ્તીથી ધમધમતી હતી. આ સાઇટ અંગ્રેજી હેરિટેજ કાઉન્સિલ દ્વારા સંચાલિત છે. આજકાલ અહીં કેટલાક પુરાતત્વવિદો અને પ્રવાસીઓનો મેળાવડો પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X