મુન્નાર, સુંદરતા એવી કે કહેવાયું કેરળનું હેવન

એક કહેવત છે, ‘ગોડ્સ ઓન કન્ટ્રી' એટલે કેરળને સમયની રાહ જોવાની જરૂર નથી, પ્રવાસી અહી કોઇ પણ સમયે આવી શકે છે અને અહીની સુંદરતા અને નેચરને નિહાળી શકે છે. તમને જણાવી દઇએ કે આજે પ્રવાસનના મામલે કેરળનો સમાવેશ વિશ્વના ગણ્યા ગાઠ્યા શહેરોમાં થાય છે. કેરળની સુંદરતાને જોઇને કહી શકાય છે કે જો કાશ્મીર પછી ધરતી પર કોઇને સ્વર્ગનો દરરજો આપી શકાય છે તો તે આ સ્થળ છે.

હવે કેરળના સૌથી લોકપ્રિય અને સુંદર સ્થળોની પસંદગીની વાત કરવામાં આવે તો એ એક મુશ્કેલ અને ઘણો જ અવળો પ્રશ્ન હશે, કારણ કે કેરળમાં કોઇ એવું સ્થાન જ નથી, જે બીજા સ્થળોથી ઉતરતા હોય. તો આ ક્રમમાં આજે અમારો લેખ કેરળના ઘણા જ સુંદર ડેસ્ટિનેશન મુન્નાર અંગે તમને અવગત કરાવશે. સાથે જ આ લેખ તેમને જણાવશે કે કેવી રીતે એક દિવસમાં તમે આખુ મુન્નાર ફરી શકો છો.

મુન્નાર એક અિશ્વસનીય, શાનદાર અને અતિ આકર્ષક મનને લોભાવે તેવા હિલ સ્ટેશન છે, જે કેરળના ઇડુક્કી જિલમાં સ્થિત છે. પર્વતોના ઘુમાવદાર વિસ્તારથી ઘેરાયેલુ આ હિલ સ્ટેશન પશ્ચિમી ઘાટ પર સ્થિત સૌથી સુંદર હિલ સ્ટેશન્સમાનું એક છે. તમને જણાવી દઇએ કે મુન્નાર એક મલયાલમ શબ્દ છે, જેનો અર્થ હોય છે, ત્રણ નદીઓનું સંગમ અહી તમને ત્રણ નદીઓ મઘુરપુજહા, નલ્લાથન્ની અને કુંડાલી એક જ સ્થળ પર મળતી જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી જોઇ શકીએ.

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

મુન્નારના સમીપ સ્થિત છે જે પશ્ચિમી ઘાટના 97 વર્ગ કિ.મીના ક્ષેત્રમાં ફેલાયેલું છે.

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

જૈવ વિવિધતાઓથી ભરેલા આ ક્ષેત્રના નીલગીરી તહરના પ્રાકૃતિક આવાસના રૂપમાં ઓળખાય છે.

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

એરાવિકુલમ રાષ્ટ્રી ઉદ્યાન

આ પાર્ક, ભારતના નવેમ્બર વન જૈવ વિવિધ ક્ષેત્રોના રૂપમાં સૂચીબદ્ધ છે, જે જંગલ અને વન્યજીવ વિભાગના પ્રશાસન હેઠળ આવે છે.

રાજમાલા

રાજમાલા

મુન્નારથી 15 કિ.મી દૂર રાજમાલા અહીનું અન્ય એક પ્રમુખ પ્રવાસન આકર્ષણ છે. અહી આવીને તમે નીલગીરી તહરને સહેલાયથી અહી વિહરતા જોઇ શકો છો.

રાજમાલા

રાજમાલા

જણાવવામાં આવે છે કે વિશ્વના અડધાથી વધુ તહર આ ભાગમાં રહે છે. અહી આવીને તમે એક સાથે અનેક વસ્તુઓનો આનંદ લઇ શકે છે.

રાજમાલા

રાજમાલા

આ સ્થળ, સુરમ્ય સૌંદર્યથી ભરેલુ અને ચારે તરફ જૂની પર્વત શ્રેણીઓથી ઘેરાયેલું છે. લીલી વનસ્પતિઓનું લાંબુ મેદાન, ઘાસના મોટા મેદાન અને બ્રુક્સ, રાજમાલાને પ્રવાસીઓ અને ટ્રેકર્સ માટે ખાસ બનાવે છે.

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ

ઇકો પોઇન્ટ મુન્નારથી 15 કિ.મી દૂર પાર્ટ સ્થિત છે. અહી બુમ લગાવીને તમારા અવાજને ફરીથી પુનઃ સાંભળવા આવતા આ સ્થળ પ્રવાસીઓ વચ્ચેનું એક પ્રમુખ આકર્ષણ છે. આ સ્થળ ઘણું જ સુંદર છે જે કોઇને પણ મોહી લે છે.

અનાયિરંકલ

અનાયિરંકલ

અનાયિરંકલ, એક પ્રવાસન સ્થળ છે, જે મુન્નારથી 22 કિ.મી દૂર સ્થિત છે, જે પોતાના ચાના બગીચાઓ, ડેમ અને ઝીલના કારણે જાણીતું છે.

અનાયિરંકલ

અનાયિરંકલ

અનાયિરંકલ, ઝીલ અને ડેમ, પ્રવાસીઓને અહી સૌથી સુંદર અને રોમાંચક નજારાઓના કારણે લોભાવે છે. જ્યારે હાથિઓના ઝુંડ પોતાની તરસ છૂપાવવા માટે ઝીલ પર આવે છે અને ક્રીડા કરે છે.

અનાયિરંકલ

અનાયિરંકલ

અહીના અન્ય આકર્ષણોમાં ટાટા ટી બાગાન છે, જે પ્રવાસીઓ અહી આવીને ચાની પત્તિઓની સુંગધનો આનંદ ઉઠાવી શકે છે. પોત્તનમડ, આનાઇરંગલ નજીક સ્થિત છે અને તે દૂર ફેલાયેલા આ બન્ને ક્ષેત્રોને કવર કરવામાં સમર્થ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X