Shree Krishna Janmashtami 2023 : જન્માષ્ટમીના દિવસે ફરવા જવા માટે બેસ્ટ ડેસ્ટિનેશન છે આ સ્થળો
Shree Krishna Janmashtami 2023 : દર વર્ષે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ખુબ ધુમધામથી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શ્રાવણના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે જન્માષ્ટમી 6 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.
જન્માષ્ટમીના દિવસે ભક્તો નવા વસ્ત્રો પહેરે છે, અને ભગવાનની વિધિવત પૂજા કરે છે. આ તહેવાર પર લોકો તેમના ઘરને પણ ખૂબ શણગારે છે. જન્માષ્ટમી દરમિયાન ઘણી જગ્યાએ દહીં હાંડી વિધિ પણ યોજાય છે.

માખણ, દહીં અને અન્ય દૂધ આધારિત ખાદ્યપદાર્થો માટીના વાસણમાં મૂકવામાં આવે છે, અને આ વાસણને જમીનથી ખૂબ ઊંચાઈએ લટકાવવામાં આવે છે. જે બાદ લોકો તે ઘડા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે, અને તે માટીના વાસણને તોડી નાખે છે.
દહીંહાંડી ઉત્સવ દરમિયાન લોકોની ભીડ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, દહીં હાંડીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના જીવન સાથે જોડાયેલો છે. જો તમે પણ આ વર્ષે જન્માષ્ટમીના અવસર પર દહી હાંડી ઉત્સવનો આનંદ માણવા માંગતા હોવ, તો તમે આ ખાસ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
બાંકે બિહારી મંદિર - આ મંદિર વૃંદાવનમાં રમણ રેતી પર આવેલું છે. તે ભારતના સૌથી મોટા મંદિરોમાંનું એક છે. જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. દર વર્ષે જન્માષ્ટમીના દિવસે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જન્માષ્ટમીના ખાસ અવસર પર તમે અહીં દહી હાંડી ઉત્સવની મુલાકાત લઈ શકો છો.
શ્રી કૃષ્ણ મંદિર - શ્રી કૃષ્ણ મંદિર ઉડુપી, કર્ણાટકમાં છે. આ મંદિર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. આ મંદિર 13મી સદીનું છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે, અહીં નવ છિદ્રવાળી બારીમાંથી શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ નવ છિદ્રની બારી ગ્રહો સાથે જોડાયેલી છે. જન્માષ્ટમી દરમિયાન અહીં ભવ્ય દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે.
ગુરુવાયૂર મંદિર - આ મંદિર કેરળના ત્રિશૂર જિલ્લામાં આવેલું છે. આ સ્થાન ભગવાન કૃષ્ણના કારણે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે દક્ષિણ ભારતના પ્રસિદ્ધ તીર્થસ્થળોમાંનું એક છે. કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર તમે અહીં મુલાકાત લઈ શકો છો.
ઘાટકોપર - મુંબઈના ઘાટકોપરમાં દર વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે ભવ્ય દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં બોલીવુડની હસ્તીઓ પણ ભાગ લે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
