Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પક્ષી પ્રેમિયો માટે સ્વર્ગ સમાન છે ભારતના આ 5 અભયારણ્ય

[પ્રવાસ] જો આપ પ્રાકૃતિક પ્રેમી હશો તો આપને પણ પ્રકૃતિની સાથે સાથે પક્ષીઓ પણ આપને ખૂબ જ ગમતા હશે, તો આવો આ વેકેશનમાં આપના આ શોખને પુરુ કરવામાં આવે. નજીકથી સુંદર પક્ષીઓને જોઇને તેમને કેમેરામાં કેદ કરો. તો આવો મિત્રો આ વેકેશનમાં પ્રવાસ ખેડીએ ભારતના 5 મોટા અને શાનદાર પક્ષી અભયારણ્યનો. જ્યાં પક્ષીઓનો કલકલાટ આપની આસપાસ ઊડતા પક્ષીઓનું રમણીય દ્રશ્ય આપના જીવનનો થાક ઉતારીને મૂકી દેશે.

bird
આમ તો ભારત અનેકો ધર્મો, જાતિયો, ઐતિહાસિક ઇમારતો, આલીશાન મસ્જીદો, નક્કાશીનુમા વિશાળ મંદિરો, તળાવો, ઝરણા, નદીઓ, ગાર્ડન્સ, પક્ષીઘર વગેરે માટે વિશ્વ પ્રસિદ્ધ છે. પણ શું આપ જાણો છો કે ભારત પક્ષી અભયારણ્ય માટે પણ ખાસ લોકપ્રિય અને જાણીતું છે.

આપ આ અભયારણ્યમાં અનેકો પક્ષીઓ, સુંદર મોર, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ભારતીય સીંગના દરો, કિંગફિશર અને ભારતીય ઇગલ વગેરે જોઇ શકો છો. ભારતમાં લગભગ 1200થી વધારે પક્ષીઓની પ્રજાતીઓ મળી આવે છે. આપ આ પક્ષી અભયારણ્યમાં આવીને ખૂબ જ શાંતિનો અનુભવ કરી શકો છો. આ પક્ષી પ્રેમીઓ માટે એક આદર્શ સ્થળ છે.

આવો ખોવાઇ જઇએ આ પક્ષી અભયારણ્યમાં...

ગુજરાતનું નળસરોવર

ગુજરાતનું નળસરોવર

ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ખૂબ જ સુંદર રમણીય સ્થળોમાંથી એક છે નળસરોવર. જ્યાં દર વર્ષે શિયાળામાં વિદેશી પ્રવાસી પક્ષીઓની ભીડ ઉમટી પડે છે. અત્રે લગભગ 200થી વધારે પક્ષીઓની પ્રજાતીઓ મળી આવે છે. જેમાં ભૂરી અને સફેદ બેડિગ બર્ડ, બ્લેક ટેલ્ડ, ગોડવિટ, સ્ટીન્ડ, પ્લોવર્સ, અને સેંડપાઇપર્સ ફ્લોક વગેરે મળી આવે છે. આ સ્થળ પક્ષી પ્રેમિયો માટે એક સ્વર્ગ સમાન છે. અને ગુજરાતભરમાંથી તેંમ જ દેશ-વિદેશના પ્રવાસીઓ અત્રે ઉમટી પડે છે, આપ અહીં નૌકાવિહાર કરતા-કરતા પક્ષીઓનો આનંદ માણી શકો છો, જે એક અનોખો લ્હાવો છે.

કુમારકોમ પક્ષી અભયારણ્ય

કુમારકોમ પક્ષી અભયારણ્ય

વેમ્બાનદ તળાવના તટ પર કુમારકોમ પક્ષી અભયારણ્ય સ્થિત છે. જ્યાં હજારો પ્રવાસી પક્ષીઓના ઘર છે જેમાં તેઓ રહે છે. આ સ્થળ પક્ષી પ્રેમીઓ માટે ખૂબ જ સુંદર સ્થળ છે. આ અભયારણ્યમાં આપ કોયલ, જળપક્ષી, બગલા, જળકાગ, ઘુવડ, ચૈતી, લવા, ઇગ્રેટ, સાઇબેરિયન ક્રેન, ડાર્ટર, બ્રાહ્મિની ચીલ, પોપટ અને ફ્લાઇકેચર વગેરે પક્ષીઓને જોઇ શકો છો. અત્રેનું દ્રશ્ય પેઇન્ટિંગની જેમ દેખાઇ આવે છે, માનો કોઇએ પોતાની કલ્પનાથી ચિત્રકારી કરી હોય. ખુલ્લુ આકાશ અને એક સાથે ઝુંડમાં ઊડતા પક્ષી, લીલાછમ વૃક્ષો, સૂર્યાસ્ત અને સૂર્યોદયનું મનમોહક નજારો અદભુત લાગે છે.

સલીમ અલી પક્ષી અભયારણ્ય

સલીમ અલી પક્ષી અભયારણ્ય

ગોવામાં મંડોવી નદીની પાસે સલીમ અલી પક્ષી અભયારણ્ય આવેલું છે. આ રહેવાસી પ્રવાસી પક્ષીઓનું ઘર છે. અત્રે ભારતના સૌથી સારા પક્ષી અભયારણ્યમાંથી એક છે. અત્રે ગૌરૈયો, મોર, પોપટ, હવસીલ અને અન્ય ઘણા પ્રકારના પક્ષીઓને જોઇ શકાય છે. ગોવાના સૌથી સારા સ્થળોમાંથી એક છે આ સ્થળ જ્યાં શાંત વાતાવરણ અને પક્ષીઓનો કલકલ જ રહે છે.

સુલ્તાનપુર પક્ષી અભયારણ્ય

સુલ્તાનપુર પક્ષી અભયારણ્ય

સુલ્તાનપુર પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીયો માટે કોઇ સ્વર્ગથી ઓછું નથી. આ સરકાર દ્વારા પક્ષી અભયારણ્ય 1972માં જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે પક્ષીઓની લગભગ 250 પ્રજાતીઓ મળી આવે છે. આ સ્થળ રહેવાસી અને પ્રવાસી બંને પક્ષીઓનું ઘર માનવામાં આવે છે. પક્ષી ઉપરાંત આ સ્થળ પ્રવાસીઓ માટે ખૂબ જ સુંદર પિકનીક સ્પોટ છે. અત્રે પુસ્તકાલય, ઘડીયાળ ટાવર, બાળકો માટે પાર્ક વગેરે છે.

ભરતપુર પક્ષી અભયારણ્ય

ભરતપુર પક્ષી અભયારણ્ય

ભરતપુર પક્ષી અભયારણ્ય કેવલાદેવ ઘાના રાષ્ટ્રીય ઉદ્યાનના રૂપમાં ઓળખવવામાં આવે છે જે પ્રવાસીઓની વચ્ચે ઘણું લોકપ્રિય છે. આ પક્ષી અભયારણ્ય રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે. ભારતના સૌથી સારા પક્ષી અભયારણ્યમાં માનવામાં આવે છે. અત્રે દર વર્ષે ઠંડીમાં દુર્લભ પક્ષીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચે છે. ભરતપુર પક્ષી અભયારણ્ય માત્ર દેશી જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X