Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શા માટે લગ્ન બાદ કામ નથી કરતી મહિલાઓ? જાણો શું કહે છે આંકડાઓ?

Nykaa એક મહિલા ઉદ્યોગસાહસિક, ફાલ્ગુની નાયર દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતીય સૌંદર્ય કંપની, તાજેતરમાં સ્ટોક એક્સચેન્જમાં તેના શાનદાર પ્રવેશને કારણે ચર્ચામાં છે. જ્યારે આપણે તેની સફળતાની વાહવાહી કરી રહ્યા છીએ.

Nykaa એક મહિલા ઉદ્યોગસાહસિક, ફાલ્ગુની નાયર દ્વારા શરૂ કરવામાં આવેલી ભારતીય સૌંદર્ય કંપની, તાજેતરમાં સ્ટોક એક્સચેન્જમાં તેના શાનદાર પ્રવેશને કારણે ચર્ચામાં છે. જ્યારે આપણે તેની સફળતાની વાહવાહી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો આપણે યુવા ભારતીય મહિલાઓના જીવન માર્ગનું મૂલ્યાંકન કરીએ, જેઓ Nykaa ના મુખ્ય ગ્રાહકો છે.

અમે યુવાન મહિલાઓને 20-29 વર્ષની વયજૂથમાં હોય તે રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ. આ વર્ષો દરમિયાન મોટાભાગની મહિલાઓના જીવનમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળે છે. જેમાં શિક્ષણ પૂર્ણ કરવું, પગારદાર કામ કરવાનો નિર્ણય, લગ્ન અને નવા કુટુંબ અને જગ્યાએ જવું અને કુટુંબ શરૂ કરવું છે.

working women

વર્ષ 2018-19માં ભારતમાં લગભગ 92.4 મિલિયન યુવતીઓ હતી અને તેમાંથી લગભગ 10.7 ટકા શિક્ષણમાં, 9.5 ટકા ઉદ્યોગ અને સેવાઓ (ઔપચારિક અને અનૌપચારિક ક્ષેત્રો)માં પેઇડ વર્કમાં અને 66 ટકાથી વધુ મહિલાઓ સાથે સંકળાયેલી હતી. ઘરેલું જવાબદારીઓ સમયાંતરે શ્રમ સર્વેક્ષણ આંકડા પર આધારિત અમારા અંદાજો દર્શાવે છે.

Nykaa ના નાયરની જેમ અન્ય ઘણી ભારતીય મહિલાઓએ સ્ટાર્ટ-અપ વિશ્વમાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો છે, બેંકિંગ, માહિતી ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં ટોચના કોર્પોરેટ હોદ્દા ધરાવે છે. ભારતમાં 50 વર્ષ પહેલાં એક મહિલા વડાપ્રધાન તરીકે ચૂંટાયા હતા, જેમાં એક મહિલા રાષ્ટ્રપતિ અને અનેક મહિલાઓ રાજ્યોના મુખ્યપ્રધાનો તરીકે રહ્યા છે.

હાલના સંશોધન દર્શાવે છે કે, લગ્ન અને બાળઉછેરની આસપાસ ભારતમાં સામાન્ય સ્ત્રીઓ માટેના લિંગના ધોરણો, બદલાયા છે, તેમ છતાં પુરુષો અને સ્ત્રીઓ બંનેની વર્તણૂકને પ્રભાવિત કરીને મજબૂત રહેવાનું ચાલુ રાખે છે.

ભારતમાં કોણ કામ કરે છે - પરિણીત Vs સિંગલ?

ભારતમાં 2018-19માં 72 ટકાથી વધુ યુવતીઓએ લગ્ન કર્યા હતા. જ્યારે 15 ટકાથી વધુ સિંગલ યુવતીઓ ઉદ્યોગ અને સેવાઓમાં પેઇડ વર્ક સાથે સંકળાયેલી હતી, તેમાંથી અડધાથી પણ ઓછી લગભગ 7 ટકા પરિણીત યુવતીઓએ તે જ કર્યું હતું. તેનાથી વિપરિત લગભગ 80 ટકા પરિણીત મહિલાઓ તેમના ઘર અને પરિવારની સંભાળ રાખવામાં સંપૂર્ણ સમય શામેલ હતી, જ્યારે 32 ટકા સિંગલ યુવતીઓ હતી, જેમાંથી મોટાભાગની તેમના માતાપિતા સાથે રહેતી હતી.

લગ્ન બાદ યુવતીઓના જીવનમાં આવતા ફેરફારોમાં પ્રાદેશિક તફાવતો શું છે?

ઉદ્યોગો અને સેવાઓ (બિન ખેતી રોજગાર)માં પગારદાર કામ કરતી સિંગલ યુવતીઓનું સૌથી વધુ પ્રમાણ ગુજરાત અને તમિલનાડુમાં હતું. જ્યારે પરિણીત યુવતીઓની વાત આવે છે, જ્યારે તમિલનાડુમાં બિન ખેતીના પગારદાર કામમાં પરિણીત યુવતીઓનું સૌથી વધુ પ્રમાણ યથાવત છે, ત્યારે ગુજરાતમાં કામ કરતી પરિણીત યુવતીઓમાંથી માત્ર 6.5 ટકા જ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં હતી, જે તેને વિશ્વના અન્ય દેશોમાં સ્થાન આપે છે.

બિન ખેતીના કામમાં પરિણીત યુવતીઓનું સૌથી ઓછું પ્રમાણ ધરાવતા રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં પણ બિન ખેતી ક્ષેત્રે વેતન કામમાં અવિવાહિત અને પરિણીત યુવતીઓના પ્રમાણ વચ્ચેનું અંતર વધારે છે. તેનાથી વિપરીત તમિલનાડુની જેમ આંધ્રપ્રદેશ, કેરળ અને ઓડિશામાં બિન ખેતીના કામમાં સિંગલ અને પરિણીત યુવતીઓના પ્રમાણમાં ઓછો તફાવત છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં લગભગ તમામ યુવતીઓ સિંગલ અને પરિણીત બંને બિન ખેતી ક્ષેત્રોમાં આર્થિક રીતે નિષ્ક્રિય છે. આશ્ચર્યની વાત એ છે કે, ઉત્તર પ્રદેશ અને બિહારમાં અવિવાહિત અથવા પરિણીત યુવતીઓ ખેતરોમાં મોટા પ્રમાણમાં કામ કરતી હોય તેવું લાગતું નથી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પરિણીત યુવતીઓનું નોંધપાત્ર પ્રમાણમાં ખેતરોમાં કામ કરે છે. કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણા જેવા સમૃદ્ધ રાજ્યોમાં આ જ પ્રમાણ 5 ટકાથી પણ ઓછું છે.

સ્વાભાવિક પ્રશ્ન એ છે કે, જો યુવતીઓ ખાસ કરીને પરિણીત મહિલા કામમાં ન હતી, તો તેમાંથી કેટલી સ્ત્રીઓ કામ શોધી રહી હતી? પરિણીત યુવતીઓમાં માત્ર કેરળમાં જ બેરોજગારી વધારે છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં તેનાથી વિપરિત પરિસ્થિતિ છે, જ્યારે અવિવાહિત યુવતીઓમાં બેરોજગારી પ્રમાણમાં ઊંચી છે, ત્યારે પરિણીત યુવતીઓમાં તે ઓછી છે, જે સૂચવે છે કે, નોકરીઓ શોધવાનું બંધ કરે છે તેવી પરિણીત મહિલાઓનું પ્રમાણ વધારે છે.

શા માટે પરિણીત મહિલાઓ કામ કરતી નથી?

આ અમને ભારતીય પરિણીત મહિલાઓમાં આર્થિક સહભાગિતાના નીચા સ્તર માટેના છેલ્લા અને સૌથી વધુ ચર્ચાતા કારણ ઘરકામ અને બાળ સંભાળ છે. કેરળમાં ઘરેલું જવાબદારીઓમાં પૂર્ણ સમય રોકાયેલી સ્ત્રીઓનું સૌથી ઓછું પ્રમાણ છે, જ્યારે બિહારમાં વર્ષ 2018-19માં આર્થિક રીતે નિષ્ક્રિય પરિણીત યુવતીઓની સંખ્યા 96.5 ટકા હતી.

હાલના સંશોધનમાં મહિલાઓની રોજગારી વધારવા માટે અનેક સંભવિત નીતિગત પગલાં સૂચવવામાં આવ્યા છે, જેમાં માંગની બાજુથી મહિલાઓ માટે યોગ્ય હોય તેવી નોકરીઓનું સર્જન કરવું અને પુરવઠાની બાજુએ મહિલાઓની આર્થિક તકોમાં ભાગ લેવાની ક્ષમતામાં વધારો કરવો. આ સાથે એવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે કે, જેઓ વુમન ફ્રેન્ડલી માનવામાં આવે છે અને તેમના માટે નોકરીના ક્વોટા જેવી કાયદાકીય જોગવાઈઓ છે.

જે બાદમાં શાળા સ્તરના હસ્તક્ષેપ દ્વારા છોકરીઓની આકાંક્ષાઓને વધારવા અને લિંગના ધોરણોને સરળ બનાવવા, નોકરીની તકો વિશે સક્રિયપણે માહિતી પૂરી પાડવા, મહિલા નેતાઓ સાથે સંપર્કમાં આવવા, હિલાઓની મુસાફરીની ગતિશીલતામાં સુધારો અને પરવડે તેવી બાળ સંભાળનો સમાવેશ થાય છે. આ એક બીજું પરિબળ છે, જે પેઇડ વર્કમાં મહિલાઓની સહભાગિતાને અવરોધી શકે છે, જેને આ ચર્ચામાં ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે.

ભારતમાં પેઇડ વર્કમાં પરિણીત મહિલાઓનો મોટો હિસ્સો પેઇડ વર્કમાં ન હોય તેવી મહિલાઓની સરખામણીમાં ઘરેલુ હિંસાનો સામનો કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 2015-16ના ડેટા પર આધારિત એક અંદાજ દર્શાવે છે કે, ભારતમાં 20-29 વર્ષની વયની યુવાન પરિણીત મહિલાઓમાં, 34 ટકા જેઓ પગારદાર કામ કરે છે, તેઓ ઘરેલુ હિંસાનો સામનો કરે છે. 12 મહિના દરમિયાન તેમના જીવનસાથી પાસેથી જેઓ પગારદાર કામ કરતા નથી, તેવા 24 ટકાની સરખામણીમાં આગળ છે.

કદાચ લિંગના ધોરણો પરના વલણને બદલવાની શ્રેષ્ઠ તક જીવનના પ્રારંભિક તબક્કામાં અને ખાસ કરીને કિશોરાવસ્થા દરમિયાન દરમિયાનગીરી કરવી છે. જે બાદ જ ભારતમાં ઘણી યુવતીઓ પાસે વધુ પસંદગીઓ હશે કે, તેઓ કેવી રીતે તેમનું જીવન જીવવા માંગે છે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X